માણસ જ્યારે તેની અંતિમ સફરે નીકળી પડે ત્યારે માનવજીવનની તેની બધી ઝંઝટમાંથી તેને મુક્તી મળી જાય છે.
VTVનું સ્મશાનમાં રિયાલિટી ચેક
સ્થિતિ ખરેખર છે ગંભીર
અગ્નિસંસ્કાર માટે લાંબુ વેઈટિંગ
પરંતુ કોરોના રૂપી આ રાક્ષસ એવો આવ્યો છે કે તેણે મારા આ અમદાવાદની સ્થિતિ એટલી વિકટ બનાવી દીધી છે કે અંતિમસંસ્કાર માટે પણ લાઈનો છે.અમદાવાદના સ્મશાનોમાં જ્યાં હંમેશા શાંતિ જોવા મળતી હતી ત્યાં આજે ચિત્તાની જ્વાળાઓ જ જોવા મળી રહી છે અને અંતિમક્રિયા માટે પણ વેઈટિંગ છે.
ન ક્યારેય આટલી ચિત્તાઓ એક સાથે જોઈ છે.
અનેક ચડતી અને પડતી સાક્ષી છે મારુ આ અમદાવાદ..આ શહેર ન જાણે અનેક ઈતિહાસોને પોતાની અંદર સમાવીને રાખેલા છે. પરંતુ અત્યારની સ્થિતિ તે પણ એક ઇતિહાસ બની જવાની છે. કારણ કે આ શહેરના સ્મશાનમાં આટલી હલચલ પહેલા ક્યારેય જોવા નથી મળી. ક્યારેય શહેરના સ્મશાનમાં વેઈટિંગ જોવા કે સાંભળવા પણ મળ્યું નથી અને નતો ક્યારેય આટલી ચિત્તાઓ એક સાથે જોઈ છે.
ચિત્તાઓની જ્વાળાઓ ડરાવતી હતી
વીટીવી ટીમ જ્યારે દુધેશ્વર સ્મશાન ગૃહમાં સ્થિતિની સાચી હકિકત જાણવા પહોંચી ત્યારે અમારા પગ નીચેથી પણ જમીન સરકી ગઈ. કારણ કે એક બાજુ ચિત્તાઓની જ્વાળાઓ રાત્રીના અંધકારને ડરામણી રોશની આપી રહી હતી.તો બીજી બાજુ અનેક સ્વજન પોતાના સગાને અંતિમવિદાય આપવા લાઈનમાં હતા.
રિયાલિટી ચેકમાં જૂદો જોવા મળ્યો મોતનો આંકડો
ન માત્ર દૂધેશ્વર પરંતુ અમે જ્યારે વાડજ સ્મશાન ગૃહમાં પહોંચ્યા ત્યાં પણ નજારો ડરામણો જ હતો. 10 મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા અને 8 વેઈટિંગમાં હતા. સરકારે રવિવારે મોતને આંકડો અમદાવાદમાં 27નો જાહેર કર્યો હતો. પરંતુ અમારા રિયાલિટી ચેકમાં તો માત્ર બે સ્મશાનમાં જ મોતનો આંકડો 29 જોવા મળ્યો...અને સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ લેવા માટે જે લાઈનો હતી તે આંકડો તો ગણ્યો પણ નથી...પ્રભુ આ કેવી કરુણાંતિકા છે?...