અમદાવાદમાં આજે COVID-19ની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગના પડઘા દિલ્હી સુધી પડ્યા હતા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે ટ્વીટ કરી દીલસોજી વ્યક્ત કરી હતી ત્યારે આ કરૂણ ઘટનામાં 8 કોરોનાગ્રસ્ત લોકોના મોત થયા છે જેમાંથી માત્ર 3 જ લોકોના દાઝી જવાથી મોત થયા છે જ્યારે 5 લોકો ગુંગળામતથી મૃત્યુને ભેટ્યા હતા. ત્યારે પ્રશ્ન એ થાય કે આગ લાગી કેવી રીતે અને શું હતુ કારણ? તો આવો જાણીએ કે આગ કરતાં પણ કઈ બાબતની ચુક આ હોનારત માટે છે જવાબદાર?
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં 8 દર્દીઓના મૃત્યુ મામલે પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો દાખલ કર્યો છે. FSLની ટીમના રિપોર્ટ બાદ વધુ કલમ ઉમેરવામાં આવશે.
શું બન્યું હતુ?
હોસ્પિટલમાં 3 દર્દીઓના દાઝી જવાથી મૃત્યુ થયા છે. જ્યારે 5 દર્દીઓના ગુંગણામણથી મૃત્યુ થયા છે. સાંકડી જગ્યા હોવાથી દુર્ઘટના સર્જાઇ હતી. તો હાલ પોલીસે ફાયર વિભાગ પાસેથી ફાયર સેફ્ટી અંગે રિપોર્ટ માગ્યો છે. પોલીસને ફાયર સેફ્ટીના કોઈ પુરાવા મળ્યા નથી. ભરત મહંતની બેદરકારીને લઈને પૂછપરછ કરવામાં આવી છે.
ખુલ્લી જગ્યામાં બનાવી દેવાઈ કેન્ટીન
અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં હોસ્પિટલ તંત્રની જ મોટી બેદરકારી હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં માર્જિનની જગ્યા રાખવામાં આવતી હોય છે પણ અહીં હોસ્પિટલ દ્વારા કેન્ટીન બનાવી દીધી હતી. જેથી દર્દીઓ આ સ્થળથી બહાર નીકળી શક્યા ન હતા. ત્યારે આ મામસે AMCના વિપક્ષના નેતા દિનેશ શર્માએ પણ તંત્ર પર આક્ષેપ કર્યો હતો. અને કહ્યું કે માર્જિનની જગ્યાથી કેન્ટીન બનાવાઈ હતી તો તંત્રના અધિકારીઓને આ બેદરકારી કેમ નજરે ન પડી.
FSLની 4 ટીમ તપાસમાં જોતરાઈ
અમદાવાદની શ્રૈય હોસ્પિટલમાં લાગેલી આગ મામલે હવે FSL અને પોલીસની ટીમે પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખળ કરીનેતપાસ કરી છે. તો FSLની 4 ટીમ તપાસમાં જોતરાઈ છે.. હોસ્પિટલના ટ્રસ્ટીઓની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. ભરત મહંતની સાથે તેમના બનેવી પણ હોસ્પિટલના ટ્રસ્ટી છે.. ડોક્ટર કિર્તીપાલ વિસાણા અને ડોક્ટર ભાર્ગવ મહારાજા પણ ટ્રસ્ટી છે. જોકે કિર્તીપાલને કોરોના થયો છે. અને ભાર્ગવ મહારાજા કેન્સરના દર્દી હોવાથી હાલ માત્ર ભરત મહંતની જ પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત ડોક્ટર તરંગ પટેલ પણ શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી છે.. હાલ તો પોલીસે આગ કેવી રીતે અને કયા કારણોસર લાગી તે મામલે પૂછપરછ હાથ ધરી છે.