ગુજરાતમાં કોવિડ હોસ્પિટલ શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 જીવતા ભુંજાઈ ગયા પણ 41 દર્દીઓને બચાવી લેવામાં આવ્યા અને તેમને બચાવવા પોતાનો જાન જોખમમાં મુકનારા 8 પોલીસ કર્મીઓને હાલ ક્વોરન્ટાઈન કરાયા છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો?
8 પોલીસ કર્મીને કરાયા દાખલ, 2માં કોરોનાના લક્ષણ
શ્રેય હોસ્પિટલ પરિસરની સંપૂર્ણ વીડિયોગ્રાફી કરવામાં આવી
આગના કારણે 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો
અમદાવાદની ક્ષેય હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં દર્દીઓને બચાવવા જતા 2 પોલીસકર્મીઓમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. જેને લઇ નવરંગપુરા પોલીસના 8 પોલીસકર્મી અને અધિકારીને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નવરંગપુરા પોલીસ સ્ટેશનને સેનેટાઇઝ પણ કરવામાં આવ્યું છે.
FSLના રિપોર્ટ બાદ તપાસની દિશા નક્કી થશે
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. આજે સાંજ સુધીમાં તપાસ એજન્સીઓ અધિક ગૃહ સચિવ સંગીતાસિંહને રિપોર્ટ સોંપશે. AMC, ફાયર, ઇલેક્ટ્રિક વિભાગ અને FSLના રિપોર્ટ બાદ તપાસની દિશા નક્કી થશે. તમામ પ્રકારના રિપોર્ટ બાદ તપાસ 2 દિશામાં કરવામાં આવી શકે છે. આગ લાગવા પાછળનું કારણ શું હતું તે દિશામાં તપાસ થઇ શકે છે. આગ લાગ્યા બાદ મોટી આગ કેમ ફેલાઇ તે દિશામાં તપાસ કરવામાં આવશે.
શ્રેય હોસ્પિટલ પરિસરની સંપૂર્ણ વીડિયોગ્રાફી કરવામાં આવી
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. હાલ AMC દ્વારા હોસ્પિટલ બિલ્ડિંગની વીડિયોગ્રાફી કરવામાં આવી છે. AMC નોર્મ્સ પ્રમાણે બિલ્ડિંગનું સ્ટક્ચર છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહીં તે અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે. શ્રેય હોસ્પિટલ પરિસરની સંપૂર્ણ વીડિયોગ્રાફી કરવામાં આવી છે. પોલીસને સાથે રાખી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આગના કારણે 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે આજે FSLનો રિપોર્ટ આવશે. FSLના રિપોર્ટ બાદ ગુનો નોંધાશે. ટ્રસ્ટી ભરત મહંતની પણ ધરપકડ થઇ શકે છે. સમગ્ર મામલે પોલીસની તપાસ ચાલી રહી છે. ફાયર, AMC, હોસ્પિટલની બેદરકારીને લઈ તપાસ ચાલી રહી છે. શ્રેય હોસ્પિટલમાં આગના કારણે 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે