નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર ઉભુ કરવા મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે જેમાં મપના દબાણ અને લાપરવાહીને કારણે 8 લોકોનો જીવ ગયો હોવાના આક્ષેપ સામે આવ્યા છે. ત્યારે આવો જાણીએ કે VTV ઉપર શ્રેય હોસ્પિટલ મામલે સૌથી મોટો ખુલાસો.
હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર ઉભુ કરવા દબાણ કરાયું હતું
20મેના રોજ શહેરની 13 હોસ્પિટલને કોર્પોરેશને નોટિસ આપી હતી
અમદાવાદ મનપા દ્વારા હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર ઉભુ કરવા દબાણ કરાયું હતું. 20મેના રોજ શહેરની 13 હોસ્પિટલને કોર્પોરેશને નોટિસ આપી હતી. શ્રેય હોસ્પિટલ સહિત 13 હોસ્પિટલને કોવિડ કેર સેન્ટર ઉભુ કરવા તાકિદ કરી હતી. આ અંગે હોસ્પિટલે દાવો કર્યો છે.
AMCને શ્રેય હોસ્પિટલે લેખિત જવાબમાં કારણો આપ્યા હતા
હોસ્પિટલનું કહેવું છે કે અમે કોવિડ સેન્ટર ન કરવા અંગે ઘણા કારણો આપ્યા હતા ત્યારે શ્રેય હોસ્પિટલે લેખિતમાં AMCને 15 કારણો આપ્યા હતા. જેમાં શ્રેય હોસ્પિટલે અપૂરતો સ્ટાફ, એક જ એન્ટ્રી-એક્ઝિટ ગેટનું કારણ આપ્યું હતું. વેન્ટિલેટરના અભાવનું પણ શ્રેય હોસ્પિટલે કારણ આગળ ધર્યું હતું. હોસ્પિટલના બિલ્ડીંગમા માત્ર નીચેનો માળ જ કોમર્શિયલ હતો.
20 વર્ષ સુધી હતુ ગેરકાયદે બિલ્ડિંગ
20 વર્ષ સુધી ગેરકાયદે બિલ્ડીંગમા AMCએ ન કરી કોઈ કાર્યવાહી. બિલ્ડિંગના 3 માળ રહેણાંક હોવા છતા કાયદેસર કરવામાં આવ્યું હતું. 2016માં શ્રેય હોસ્પિટલે 90 લાખની ઈમ્પેક્ટ ફી ભરીને બિલ્ડિંગ કાયદેસર કર્યુ હતુ.