રેનબસેરા રોડ ઉપર રહેતા કે ઘર વગરના લોકો માટે બનાવાય છે પણ હરકોઈ જાણે છે કે, તેમાં અમુક લોકો અડ્ડા તરીકે વપરાશ કરે છે ત્યારે શ્રમજીવીઓ રોડ ઉપર ફૂટપાથને જ રાતવાસો કરવા માટેનું સ્થળ બનાવી લે છે. પરંતુ મનપાએ આ રોડ ઉપર સુઈ રહેતા લોકોને રેનબસેરામાં રહેવા માટે રહેવાની સાથે ભોજનની પણ લલચામણી સ્કીમ શરૂ કરવા જઈ રહી છે ત્યારે એવા પ્રશ્નો થઈ રહ્યા છે આ લોકો માટે જ જમવાનું હશે તે શું ખરેખર જરુરિયાતમંદ સુધી પહોંચશે ખરૂ?
શ્રમિકોની સાથે સાથે સાથે ભિક્ષુકો પણ ફૂટપાથ પર આશરો લે છે
શ્રમિકો-ભિક્ષુકોને ઠંડીથી બચાવવા રેનબસેરામાં ખસેડી રહ્યા છે
અત્યારે ભોજન બનાવવાની વાસણ સહિતની સામગ્રી અપાય છે
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ઘરવિહોણા અને ફૂટપાથ પર આશરો લેતા શ્રમિકો તેમજ ભિક્ષુકો માટે રેનબસેરાની વ્યવસ્થા ઊભી કરાઇ છે. નવા નિમણૂક પામેલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને ઠંડીથી ધ્રૂજતા શ્રમિકો-ભિક્ષુકોને રેનબસેરામાં ખસેડવાની ફરજ સોંપાઇ છે. તેમ છતાં આશ્ચર્યજનક રીતે શ્રમિકો-ભિક્ષુકો ફૂટપાથ છોડવા તૈયાર થતા નથી. જેના કારણે રેનબસેરામાં નવા આકર્ષણ તરીકે ભોજન પણ અપાશે.
શ્રમિકોની સાથે સાથે સાથે ભિક્ષુકો પણ ફૂટપાથ પર આશરો લે છે
અમદાવાદ ચારે દિશામાં વિકસી રહ્યું હોઇ રાજ્યના વિવિધ વિસ્તારો તેમજ અન્ય રાજ્યોમાંથી લોકો રોજગાર મેળવવા શહેરમાં આવે છે. જોકે મોટા ભાગના લોકો ગરીબ વર્ગના હોઇ ફૂટપાથ પર આશરો લેતા હોય છે. શહેરની અનેક ફૂટપાથ સવારથી શ્રમિકોની ભરાયેલી જોવા મળે છે. શ્રમિકોની સાથે સાથે સાથે ભિક્ષુકો પણ ફૂટપાથ પર આશરો લે છે.
શ્રમિકો-ભિક્ષુકોને ઠંડીથી બચાવવા રેનબસેરામાં ખસેડી રહ્યા છે
તંત્ર દ્વારા શિયાળા, ઉનાળા અને ચોમાસા જેવી ઋતુઓમાં ફૂટપાથ પર આશરો લેનારા શ્રમિકો-ભિક્ષુકોને માટે ખાસ રેનબસેરા બનાવાયા હોઇ તમામ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રાત્રીના ૧૦-૦૦થી મધરાતના ૧-૦૦ વાગ્યા સુધી પોતાના વિસ્તારના મુખ્ય રસ્તાનો રાઉન્ડ લઇને શ્રમિકો-ભિક્ષુકોને ઠંડીથી બચાવવા રેનબસેરામાં ખસેડી રહ્યા છે, પરંતુ આશ્ચર્યજનક રીતે આ લોકો ફૂટપાથ છોડવા તૈયાર થતા નથી.
અત્યારે ભોજન બનાવવાની વાસણ સહિતની સામગ્રી અપાય છે
સૂત્રો કહે છે કે તંત્ર દ્વારા શ્રમિકો-ભિક્ષુકો રેનબસેરામાં રહે તે માટે હવે પછી તેમને ભોજન અપાશે. અત્યારે ભોજન બનાવવાની વાસણ સહિતની સામગ્રી અપાય છે, પરંતુ હવે મધ્યાહન ભોજન હેઠળ શાળા અને આંગણવાડીનાં બાળકોને ભોજન પૂરું પાડતા અક્ષયપાત્ર સંસ્થાની ભગિની સંસ્થા ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદ અને સ્ત્રી શક્તિ સંસ્થાને એક સમયના ભોજનના એક વ્યકિત દીઠ રૂ.ર૯ના ભાવથી લાખો રૂપિયાનો કોન્ટ્રાકટ અપાશે. જોકે રેનબસેરાની બદથી બદતર હાલતથી કંટાળીને શ્રમિકો એક ટાઇમનું જમીને ફૂટપાથ પર આસરો લેવા જતા રહે તેવી પણ શકયતા છે.