કોરોના સંકટ / અમદાવાદીઓ સૌથી વધુ કોરોના ટેસ્ટ આ જગ્યાઓએ કરાવવા ઉમટી પડે છે, કારણ છે રસપ્રદ

ahmedabad coronavirus test gujarat

સામાન્ય રીતે કોરોના સંક્રમણને લગતાં ટેસ્ટમાં નાગરિકો મ્યુનિસિપલ તંત્રને સ્વયંભૂ સહકાર આપતા નથી. લોકોમાં ટેસ્ટને લગતાં ગભરાટનાં મુખ્ય બે કારણ છે, પહેલું કારણ તો જો તેમની સોસાયટી અને ફલેટમાં પોતે કોરોના પોઝિટિવ હોવાની જાહેરાત થાય તો અડોશી-પડોશી પણ બહિષ્કાર કરે તેવો ફફડાટ છે અને જો સત્તાવાળાઓએ હોમ કવોરન્ટાઇનના બદલે હોસ્પિટલમાં સારવાર અપાવવાનો આગ્રહ રાખ્યો તો હોસ્પિટલમાં જવું એટલે મોતને ભેટવું તેવો ડર પણ ટેસ્ટ ટાળવાનું બીજું કારણ છે. જોકે જાહેર સ્થળોએ કોરોના ટેસ્ટ માટેના ડોમને લોકોએ તેમની ઓળખ છુપાતી હોઇ વધાવી લીધા છે.

બ્રેકિંગ ન્યૂઝ