ગુજરાતમાં કોરોના વાયરસની મહામારો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં રાધાસ્વામી રોડ પર સ્થાનિકોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. એક જ અઠવાડિયામાં કોરોનાથી 6 લોકોના મૃત્યું થતા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદના રાણીપ વિસ્તારમાં સ્વયંભૂ લોકડાઉન
રાધાસ્વામી રોડ પર સ્થાનિકોએ જાહેર કર્યુ સ્વૈચ્છિક લોકડાઉન
એક જ અઠવાડિયામાં કોરોનાથી 6 લોકોના મૃત્યુ થતા લેવાયો નિર્ણય
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા રાધાસ્વામી રોડ પર સ્થાનિકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર એક જ અઠવાડિયમાં આ વિસ્તારમાં કોરોનાથી 6 લોકોના મૃત્યું થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વિસ્તારમાં આવેલી 50થી વધુ સોસાયટીઓ સ્વયંભુ લોકડાઉનમાં જોડાઇ છે. જેને લઇને આજ વહેલી સવારથી દુકાનો બંધ જોવા મળી છે. સ્થાનિકો દ્વારા આ વિસ્તારમાં આજથી આગામી 10 દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે.