ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. કોરોના દર્દીઓની સારવાર કરતા ડોક્ટરોની સમસ્યામાં વધારો થઇ રહ્યો છે. જેનું મુખ્ય કારણ છે કે કોરોના પોઝિટિવ દર્દીઓના કારણે અન્ય બિમારીના દર્દીઓમાં પણ કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે.
કોરોનાના કારણે ડોક્ટરોની સમસ્યા વધી
અન્ય બીમારીના દર્દીઓના રિપોર્ટ પણ આવે છે પોઝિટિવ
રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર કરતા તબીબોની મુશ્કેલી વધી
કોરોનાના કારણે અમદાવાદમાં ડૉક્ટરોની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે, જેમાં અન્ય બિમારીના દર્દીઓના પણ કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. ત્યારે હવે એલ.જી હોસ્પિટલમાં મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ઓર્થોપેડિકની સારવાર માટે આવેલી મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તબીબોની મુશ્કેલી વધી છે. મહિલા બાદ હવે સારવાર કરતા તબીબ અને સ્ટાફની પણ તપાસ કરાશે.
LG હોસ્પિટલના 30થી વધુ ડોક્ટર-સ્ટાફ ક્વોરન્ટાઇન
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે, ત્યારે અમદાવાદ માટે કોરોના વાયરસ કાળ બન્યો છે. શહેરમાં સૌથી વધારે કોરોના વાયરસના કેસ નોંધાયા છે. ત્યારે LG હોસ્પિટલના 30થી વધુ ડોક્ટર-સ્ટાફને પણ ક્વોરન્ટાઇન કરાયા છે. તમામને રાજપથ કલબ ખાતે કોરોન્ટાઇન કરાયાં છે. LG હોસ્પિટલમાં 10થી વધુ ડોક્ટરોને કોરોના પોઝિટિવ છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસ વધતા અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. જેમાં LG હોસ્પિટલમાં પોઝિટિવ કેસ આવતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું હતું. અસારવા સિવિલ અને સોલા સિવિલમાં સેનિટાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી રહી છે.