ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કોરોના હાલ બેકાબુ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં વધતા કોરોના સંક્રમણ બાદ તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં 60 વેન્ટિલેટર બેડ વધારાયા છે. જ્યારે વડોદરામાં 100 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.
અમદાવાદમાં વધતા કોરોનાના કેસનો મામલો
વડોદરામાં 100 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 60 વેન્ટિલેટર બેડ વધારાયા
અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણ બાદ તંત્ર હરકતમાં
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે હવે શહેરની સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર બેડ વધારવામાં આવ્યા છે. આજથી વધુ 60 વેન્ટિલેટર બેડ કાર્યરત કરાયા છે. તંત્ર દ્વારા આગામી સમયમાં વેન્ટિલેટર બેડની ક્ષમતા 350 કરાશે.
વડોદરામાં 100 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ
અમદાવાદમાં વધતા કોરોનાના કેસનો મામલે વડોદરા શહેરમાં 100 બેડની હોસ્પિટલ તૈયાર કરાઇ છે. હાલમાં શહેરમાં દર્દીઓની સંખ્યા વધતા વડોદરા લાવીને સારવાર અપાશે. શહેરમાં આવેલી આજવાની ન્યૂ લાઇફ હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલમાં તમામ સ્ટાફ ફાળવાયો છે. હોસ્પિટલમાં ઓક્સિજન લાઇન અને વેન્ટિલેટરની વ્યવસ્થા કરાઇ છે.
અમદાવાદમાં કોરોનાની સ્થિતિ
અમદાવાદની વાત કરીએ તો ગઇકાલે એક જ દિવસમાં 344 નવા કેસ નોંધાયા હતા. જ્યારે એક દિવસમાં સૌથી વધુ 13 લોકોના મૃત્યું થયા હતા. શહેરમાં હજુ પણ 3340 એક્ટિવ કેસ છે.
ગુજરાતમાં કોરોનાના કેસની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ હાલમાં વધેલું જોવા મળ્યું છે. રાજ્યમાં કોરોનાના કુલ વધુ 1487 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના કારણે એક જ દિવસમાં 17 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે 4 મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં 344, સુરતમાં 270, વડોદરામાં 172 તેમજ રાજકોટમાં 154 નવા કેસ નોંધાયા છે.