ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે હાલ ચોમાસાની ઋતુમાં નોન કોવિડ OPDમાં દર્દીઓનો વધારો થયો છે. અમદાવાદની સિવિલ હોસ્પટલમાં રોજના 1700 દર્દીઓની OPD નોંધાઈ રહી છે.
સિવિલ હોસ્પિટલમાં નોન કોવિડ OPDમાં દર્દીમાં વધારો
રોજના 1700 દર્દીઓની OPD નોંધાઈ રહી છે
તાવ, શરદી, ઉધરસના દરરોજના 600 દર્દીઓ નોંધાયા છે
ચોમાસાની ઋતુના કારણે અમદાવાદમાં કોરોના સિવાયના દર્દીઓમાં એટલે કે નોન કોવિડના દર્દીમાં વધારો થઇ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં નોન કોવિડ OPDમાં દર્દીમાં વધારો સતત વધારો થઇ રહ્યો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોજના 1700 દર્દીઓની OPD નોંધાઈ રહી છે. જેમાં માત્ર તાવ, શરદી, ઉધરસના દરરોજના 600 કેસ નોંધાયા છે. ચોમાસાની ઋતુના કારણે અમદાવાદમાં કોરોના સિવાયના રોગોએ પણ માથું ઉચક્યું છે.