કોરોના સંક્રમણની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે અમદાવાદ શહેરમાં કોરોનાના આંકડા છુપાવાને લઈને માહોલ ગરમાયો છે. સરકારી ચોપડે કેસ, મૃત્યુ આંક અને વેન્ટિલેટર પરના દર્દીના આંકડાઓમાં મોટો તફાવત છે. તો બીજી તરફ પક્ષ અને વિપક્ષની કોરોનાના આંકડા પર રાજનીતિથી જનતા કંટાળી છે. જનતા સાચા આંકડા જાણવા માંગે છે. જેથી લોકો કોરોનાની ગંભીરતા સમજે.
અમદાવાદીઓ આંકડા પર ન જશો ચેતી જજો!
સરકારી ચોપડે અને હોસ્પિટલોના આંકડાઓમાં મોટો તફાવત
શ્યામ બંગલો સોસાયટીમાં 34 કેસ હોવા છતાં AMCના ચોપડે માત્ર 12 કેસ જ
વેન્ટિલેટર પર સરકારે ચોપડે 92 દર્દીઓ, હકિકતમાં અમદાવાદમાં જ 462 દર્દીઓ વેન્ટિલેટર પર
સરકારી ચોપડે રાજ્યમાં વેન્ટિલેટર પર માત્ર 92 દર્દીઓ છે, જોકે હકીકતમાં અમદાવાદમાં જ 462 દર્દીઓ વેન્ટિલેટર પર છે. SVP હોસ્પિટલમાં 44 દર્દીઓ વેન્ટિલેટર પર છે. સિવિલ હોસ્પિટલમાં 174 દર્દીઓ વેન્ટિલેટર પર છે. સોલા સિવિલમાં 21 દર્દીઓ વેન્ટિલેટર પર છે. GCRIમાં 5, યૂ.એન. મહેત હોસ્પિટલમાં 8 દર્દીઓ વેન્ટિલેટર પર છે. બાપુનગર ESCI હોસ્પિટલમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં 208 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
શ્યામ બંગલો સોસાયટીમાં 34 કેસ હોવા છતાં AMCના ચોપડે માત્ર 12 કેસ જ
અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ચાંદખેડાના કોર્પોરેટર દ્વારા AMC પર કેસના આંકડા છુપાવતા હોવાનો આક્ષેપ કરાયો છે. AMC વાસ્તવિક આંકડા છુપાવતુ હોવાનો આક્ષેપ કર્યો છે. ચાંદખેડાના શ્યામ બંગલોમાં કોવિડ કેસના આંકડા છુપાવવાનો આક્ષેપ છે. સોસાયટીમાં 34 કેસ હોવા છતાં AMCના ચોપડે માત્ર 12 કેસ જ છે. 22 વ્યક્તિઓએ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યા છે. મનપા દ્વારા સોસાયટી માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકાઈ છે. ખાનગી લેબ દ્વારા AMCને માહિતી નથી અપાઈ. કોર્પોરેટરે મનપામાં જાણ કરતા મનપા પણ નથી કરતુ કોઈ કાર્યવાહી.
ત્યારે સવાલ થાય છે કે શું કોરોનાના આંકડા છૂપાવે છે AMC? ચાંદખેડાના કોર્પોરેટરના આક્ષેપનો AMC આપશે જવાબ? શું વાસ્તવિક આંકડા છુપાવવામાં આવે છે? સોસાયટીમાં 34 પોઝિટિવ કેસ,AMCના ચોપડે માત્ર 12 કેસ કેમ? ચાંદખેડાના શ્યામ બંગલોમાં કોવિડ કેસના આંકડામાં વિસંગતતા કેમ? શું ખાનગી લેબ AMCને માહિતી નથી આપતી? કોર્પોરેટર જાણ કરે તો પણ મનપા કેમ નથી કરતી કાર્યવાહી? આ રીતે કેસ છુપાવાશે તો કોરોના કાબૂમાં કેમ આવશે?
રાજીવ ગુપ્તાને સવાલ કર્યો તો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને બ્લોક કર્યા
અમદાવાદ મહાનગરપાલિકામાં કોરોનાના આંકડામાં મોટી પોલંપોલ હોવાના આક્ષેપો લાગી રહ્યા છે. અધિકારીઓ આંકડાઓ છુપાવવા અંગેના સવાલ બાદ છટકબારી શોધી રહ્યા છે. IAS રાજીવ ગુપ્તાને સવાલ કર્યો તો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને બ્લોક કર્યા છે. અધિકારીઓ સવાલનો જવાબ આપવાને બદલે બ્લોક કરી રહ્યા છે. ત્યારે શું શું અધિકારીની પલાયનવૃતિ અમદાવાદના આંકડામાં કઈંક ખોટું થતું હોવાની ચાડી ખાય છે?
કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ પણ સરકાર પર કર્યા પ્રહાર
અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે, સરકાર દર્દીઓ અને મૃતકના આકંડા છુપાવી રહી છે. શબવાહિનીમાં વેઇંટિંગ લિસ્ટ છે. ખાનગી હોસ્પિટલ હાઉસફુલ છે. અધિકારીએ ધારાસભ્ય ખેડાવાલાને બ્લોક કર્યા તે દુર્ભાગ્યપૂર્ણ છે.
સાચી હકીકત જાહેર કરવાની જનતાની માગ
અમદાવાદ શહેરમાં કોરોનાના આંકડા છુપાવાને લઈને માહોલ ગરમાયો છે. કોરોનાના કારણે થતા મૃત્યુ પર પક્ષ-વિપક્ષ આમને-સામને આવ્યું છે. કોરોના પર થતી રાજનીતિથી જનતા નારાજ જણાઇ રહી છે. પ્રજા સુધી સાચી હકીકત આવવી જોઈએ તેવો પ્રજાનો મત છે. સરકાર દ્વારા જાહેર કરાતા આંકડાઓ પર જનતા પર સવાલ ઉઠાવી રહી છે. લોકો સુધી હકીકત પહોંચશે તો લોકોને કોરોનાની ગંભીરતા સમજાશે.
કોરોના સંક્રમણની ત્રીજી લહેરના ભણકારા!
અમદાવાદ મેડિકલ એસોસિએશને વ્યકત ભય કર્યો છે. AMAએ કહ્યું કે, ફેબ્રુઆરી મહિનામાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ શકે છે. કોરોનાની બીજી ઈનિંગ જીવલેણ સાબિત થઈ છે. કોરોનાની પહેલી લહેરમાં 1.2 ટકા મૃત્યુઆંક હતો જે હવે 4 ટકા થયો છે.