ગુજરાતમાં હાલ કોરોના વાયરસ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. સૌથી વધારે અસર હાલ અમદાવાદમાં જોવા મળી રહી છે. શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સાથે મૃત્યુદરનો આંકડો પણ વધતાં તંત્રની પરેશાનીમાં વધારો થયો છે. જેમાં એક પ્રાપ્ત આંકડા મુજબ દિવાળી પછી 15 દિવસમાં કુલ 122 લોકોના કોરોનાથી મૃત્યું થયા છે.
અમદાવાદમાં કોરોનાની વકરતી જતી સ્થિતિ
દિવાળી પછી 15 દિવસમાં 122 લોકોના મૃત્યુ
15 દિવસમાં 4 હજાર 616 નવા પોઝિટીવ કેસ
હાલ અમદાવાદની વાત કરીએ તો કોરોના બેકાબુ જોવા મળી રહ્યો છે. દિવાળી બાદ 15 દિવસમાં 4 હજાર 616 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 15 દિવસમાં 122 લોકોના કોરોનાથી મૃત્યું થયા છે.
અમદાવાદ વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 2 હજાર 108 લોકોના કોરોનાથી મૃત્યું થયા છે. હાલ દિવાળીના તહેવાર દરમિયાન કોરોનાના નિયમોમાં પાલનની સંદતર બેદરકારી ભારે પડી છે. બજારોમાં ખરીદી માટે ઉમટેલી ભીડના વરવા પરિણામ હવે જોવા મળી રહ્યાં છે.
15 દિવસમાં કેટલા મૃત્ય?
16 નવેમ્બર 3 મોત
17 નવેમ્બર 4 મોત
18 નવેમ્બર 5 મોત
19 નવેમ્બર 3 મોત
20 નવેમ્બર 3 મોત
21 નવેમ્બર 4 મોત
22 નવેમ્બર 8 મોત
23 નવેમ્બર 13 મોત
24 નવેમ્બર 12 મોત
25 નવેમ્બર 10 મોત
26 નવેમ્બર 12 મોત
27 નવેમ્બર 11 મોત
28 નવેમ્બર 10 મોત
29 નવેમ્બર 11 મોત
30 નવેમ્બર 13 મોત
આમ અમદાવાદમાં કોરોનાના હાહાકારથી ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે. શહેરમાં રોજે કોરોનાથી ડબલ ડિજીટમાં મૃત્યું થઇ રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે.
અમદાવાદમાં કોરોના વોરિયર્સની સ્થિતિ ચિંતાજનક
હાલ અમદાવાદમાં કોરોનાનો કહેર એવો જોવા મળી રહ્યો છે કે તેમાં હવે કોરોના વોરિયર્સ પણ બાકી રહ્યાં નથી. શહેરમાં કોરોના વોરિયર્સની સ્થિતિ પણ ચિંતાજનક જોવા મળી છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં વધુ 5 તબીબ સંક્રમિત થયા છે. SVP હોસ્પિટલના 7 તબીબ કોરોના સંક્રમિત થયા છે. આમ અત્યાર સુધીમાં સિવિલ સ્ટાફના 462 અને SVPમાં અગાઉ 65 તબીબ કોરોનાથી સંક્રમિત થયા હતા.