ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં સપડાતી જોવા મળે છે. શહેરની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે જેમાં 70 વર્ષના વૃદ્ધા ગુમ થઇ ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી
સિવિલ હોસ્પિટલમાંથી 70 વર્ષના વૃદ્ધા ગુમ થયાં
કોરોના ટેસ્ટને લઇને પરિવારને દુર રખાયો હતો
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વધુ એક બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં 4 દિવસ પહેલા સારવાર લેવા માટે આવેલા દર્દી ગુમ થયા છે. શહેરની સિવિલ હોસ્પિટલમાંથી 70 વર્ષના વૃદ્ધા ગુમ થયા છે.
પ્રાપ્ત મળતી માહિતી મુજબ કોરોના ટેસ્ટને લઈને પરિવારને દર્દી પાસેથી દૂર રખાયો હતો. ત્યારે હવે પરિવારે વૃદ્ધા ગુમ થયા અંગેની શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. આ સાથે પોલીસ અને પરિવારે વૃદ્ધની શોધખોળની હાથધરી છે.
અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલ જાણે વિવાદનું બીજુ નામ હોય તેમ લાગી રહ્યું છે. હાલ થોડા દિવસ અગાઉ જ કોરોનાના દર્દીઓને દાખલ કરવાને લઇને વિવાદમાં સપડાઇ હતી. ત્યારે આજે 70 વર્ષના વૃદ્ધા હોસ્પિટલમાંથી ગુમ થઇ ગયેલા જોવા મળ્યાં છે.