દેશમાં દિવસેને દિવસે કોરોના પીડિતોની સંખ્યા વધી રહી છે તે ચિંતાનો વિષય છે. આપણા ગુજરાતમાં પણ સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે તેના કારણે આરોગ્ય વિભાગે પોતાની કામગીરી યુદ્ધના સ્તરે શરૂ કરી દીધી છે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નવો પ્રયોગ શરૂ કર્યો છે. આ એવો પ્રયોગ છે જેના કારણે પીડિતોની સંખ્યા વધશે. પણ તેનો ફાયદો લાંબા ગાળે થશે. તમને આ સાંભળીને જરા અજુગતુ લાગતું હશે.
અમદાવાદની નવી વ્યૂહરચના
કોરોનાગ્રસ્તોને શોધશે નવી વાન
કોર્પોરેશને તૈયાર કરી ખાસ વાન
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે એક એક ડૉક્ટરી વાન રવાના કરી છે હવે અમદાવાદમાં કોરોના પીડિતોની સંખ્યા વધી જાય તો નવાઈ ન પામતા. કારણ કે આ વાન કોરોનાના દર્દીઓને શોધવા માટે નીકળી છે. સામાન્ય રીતે આપણે એવું વિચારીએ કે દર્દીઓની સંખ્યા જેટલી ઓછી રહે તેટલું સારુ. પણ હાલ મરકજના જમાતીઓને કારણે સ્થિતિ એવી પેદા થઈ છે કે જેટલા કોરોના પીડિતોની શોધ થઈ જાય તેટલું વધારે સારુ. કારણ કે માનવ બોમ્બ બનીને ફરતા કેટલાક જમાતીઆઓ માનવજાત માટે દુશ્મન છે. તેઓ કોરોનાથી પીડાઈ રહ્યા છે અને અન્ય સ્વસ્થ લોકોને ચેપ લગાડી રહ્યા છે. હાલ આ વાન આવા લોકોને જ શોધવા માટે નીકળી છે.
કોરોનાના દર્દીઓને શોધતી અનોખી વાન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ ખાસ વાન તૈયાર કરી છે. જે અમદાવાદના જે વિસ્તારોને કલ્સ્ટર કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે ત્યાં જશે અને સ્થળ પર જઈને જ લોકોને ચેકઅપ કરશે. થર્મલ ક્રીનિંગ કરશે અને જરૂર જણાશે તો કોરોનાનો ટેસ્ટ પણ કરશે. જેના કારણે જે લોકો કોરોના પીડિત છે પણ હાલ સંતાઈ ગયા છે તેમને શોધી શકાશે અને તેમની સારવાર થઈ શકશે અને કોરોનાનો ચેપ વધતો અટકાવી શકાશે.
ઇન્ટેન્સિવ સર્વેલન્સ અને એનહાન્સ્ડ ટેસ્ટિંગના ભાગરૂપે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સવારે અમદાવાદમાં કોરોના મોબાઇલ પરીક્ષણ વાન શરૂ કરવામાં આવી છે.
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) April 7, 2020
કોર્પોરેશન દ્વારા આવુ વિશેષ આયોજન કરવામાં આવ્યું
કોર્પોરેશનના આ ખાસ મેડિકલ વાનમાં નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ સાથે પેરા મેડિકલનો સ્ટાફ અને પોલીસ પણ હાજર છે. પોલીસ એટલા માટે રાખવામાં આવી છે કે દેશમાં એવા ઘણા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં મેડિકલ સ્ટાફ પર હુમલાની ઘટનાઓ બની હતી. આવા હુમલા અમદાવાદમાં કોઈ વિસ્તારમાં ન થાય અને કામગીરીને સારી રીતે કરી શકાય તે માટે કોર્પોરેશન દ્વારા આવુ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
કોરોનાને હરાવવાનું નક્કી કર્યું છે હિન્દુસ્તાને
ઉલ્લેખનીય છે કે, હિન્દુસ્તાને નક્કી કરી લીધુ છે કે કંઈ પણ થાય...કોરોનાને હરાવવાનો છે. અને ગુજરાતે તો કોરોનાને ઢાળી દેવા નેતૃત્વ લીધુ છે અને તેના કારણે જ ગુજરાત સરકાર દ્વારા જે પ્રકારની તૈયારીઓ અને કામગીરી કરવામાં આવી રહી છે તે અન્ય રાજ્યો માટે એક મિશાલ બની છે. આ મેડિકલ વાનની મદદથી અમદાવાદમાં કોરોનાના પીડિતોની સંખ્યામાં વધારો થશે પણ તેનો ફાયદો લાંબા ગાળે મળશે અને શહેરમાં વધતું સંક્રમણ અટકાવી શકાશે.