અમદાવાદમાં કોરોનાની સ્થિતિ જરાય કાબૂમાં નથી 8683 લોકો કોરોનાનો શિકાર બન્યા છે અને 555 લોકો કોરોનાથી પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. ત્યારે પ.ઝોનના ગુલબાઈ ટેકરા સહિત અમદાવાદમાં 11 વોર્ડને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરના 11 વોર્ડ કન્ટેઇન્મેન્ટ જાહેર કરાયા
AMC11 કન્ટેઇનમેન્ટ વોર્ડની યાદી જાહેર કરી
પ.ઝોનનો એક જ વોર્ડ જ કન્ટેનમેન્ટ ઝોનમાં
અમદાવાદ શહેરના 11 વોર્ડ કન્ટેઇન્મેન્ટ જાહેર કરાયા છે. AMC દ્વારા 11 કન્ટેનમેન્ટ વોર્ડની યાદી જાહેર કરી છે. અમદાવાદમાં મધ્યઝોનના 5, દ. ઝોનના 3, ઉત્તર ઝોનના 1, પ.ઝોનનો 1 અને પૂ. ઝોનનો 1 વોર્ડનો સમાવેશે થાય છે. 12,98,212 લોકો કન્ટેનમેન્ટ ઝોનમાં છે જ્યારે 2,61,511 ઘરનો સમાવેશ થાય છે.
કયા કયા વોર્ડ છે કન્ટેનમેન્ટઝોનમાં
ગુલબાઇ ટેકરા (પશ્ચિમ ઝોન)
ખાડીયા
દરિયાપુર
શાહપુર
જમાલપુર
અસારવા
દાણીલીમડા
બહેરામપુરા
મણિનગર
સરસપુર
ગોમતીપુર
ગુજરાતની શું છે સ્થિતિ?
રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો વધીને 11 હજાર 746એ પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના 6248 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી 4804 લોકોએ કોરોનાને મ્હાત આપતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 694 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધી 8686 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 2841 લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.