કોરોના દર્દીઓના મૃતદેહને અગ્નિસંસ્કાર માટે 24 કલાકથી પણ વધારે સમયનું વેઈન્ટિંગ છે, શહેરમાં હાલ મેડિકલ ઈમરજન્સીની સ્થિતિ ઉદભવી ગઈ છે
અમદાવાદમાં સ્થિતિ વિકરાળ
બચાવી લો મારા આ શહેરને!
સરકારમાં હાથ નથી રહી હવે સ્થિતિ!
કોરોના મહામારીને કારણે અમદાવાદની સ્થિતિ હાલ સૌથી કપરી બની ગઈ છે. એવી કપરી સ્થિતિમાંથી રાજ્યના આ શહેર પસાર થઈ રહ્યું છે કે લોકો મરી રહ્યા છે. સારવાર માટે લાઈનો છે. એમ્બ્યુલેન્સ પણ વેઈન્ટિંગમાં ઉભી રહે છે. અરે મૃત્યુ પામેલા કોરોના દર્દીઓના મૃતદેહને અગ્નિસંસ્કાર માટે 24 કલાકથી પણ વધારે સમયનું વેઈન્ટિંગ છે. શહેરમાં હાલ મેડિકલ ઈમરજન્સીની સ્થિતિ ઉદભવી ગઈ છે.
હે પ્રભુ...હે મા આદ્યશક્તિ...કેમ મારા શહેર અને મારા દેશની દશા આવી કરી દીધી છે. કેમ મારા દેશવાસીઓ આજે મરી રહ્યા છે?. કેમ મારા શહેરના લોકોને સારવાર માટે ભટકવું પડી રહ્યું છે? આખરે કેમ મૃત્યુ પછી પણ સ્વજનોને વેઈટિંગમાં રહેવું પડી રહ્યું છે? હે પ્રભુ શું ગુનો છે અમારો? શું પાપ કર્યા છે અમે? કેમ તું નાના બાળકોને...મોટા વૃદ્ધોને પણ છોડતો નથી? આવી સજા તો કોઈ દાનવ પણ ન આપે તેવી સજા અમને કેમ આપી રહ્યો છે પ્રભુ? હોસ્પિટલોમાં બેડ નથી.
સારવાર માટેની દવાઓ નથી. દર્દીઓ હોસ્પિટલ બહાર રઝળી રહ્યા છે. દવાખાના ફુલ થઈ ગયા છે. સિવિલ હોય કે સ્મશાન...જ્યાં જુઓ ત્યાં વેઈટિંગ જ વેઈટિંગ છે. કોઈ કંઈ કરી શક્તું નથી. સરકારના હાથમાંથી સ્થિતિ કંટ્રોલ બહાર જતી રહી છે. હવે બચાવનારો પણ પ્રભુ તું છે. અને મારનારો પણ તું જ છે. તારા જ ભરોષે મારા આ શહેરના લોકો છે. પ્રભુ આ મહામારીમાંથી મારા આ શહેરને તું તારી લેજે.