અમદાવાદ ખાતે કોંગ્રેસના અમિત ચાવડાએ સરકારના એજન્ટ બનીને કામ કરતાં અધિકારીઓને આડે હાથ લઈ ગંભીર આરોપો લગાવ્યા હતા.
સરકારી અધિકારીઓ તરફ અમિત ચાવડાનો માર્મિક કટાક્ષ
અમિત ચાવડાએ કહ્યું કોઈ સરકાર કાયમી નથી હોતી
સરકારના એજન્ટ બનીને કામ કરવાનું છોડી દે અધિકારીઓ: ચાવડા
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ આજે અમદાવાદ ખાતે એક નિવેદનમાં અમુક સરકારી અધિકારીઓને આડે હાથ લીધા હતા. અમિત ચાવડાએ અધિકારીઓ પર ધગધગતા આરોપ લગાવ્યા હતા. અમુક અધિકારીઓ સરકારના અને નેતાઓના એજન્ટ બનીને કામ કારી રહ્યા છે. જ્યારે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે પોલીસ હપ્તા લેવામાથી ઊચી ન આવતી હોવાથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી છે. આવા ફાંટીને ધૂમાંડે ગયેલા અધિકારીઓ સામે આવતીકાલે કોંગ્રેસ દ્વારા અમદાવાદના GMDC ગ્રાઉન્ડથી ED કચેરી તરફ કૂચનું આહવાન કરવામાં આવ્યું છે.
કોંગ્રેસનું GMDC ગ્રાઉન્ડથી ED કચેરી તરફ કૂચનું આહવાન
અમદાવાદ ખાતે સરકારી અધિકારીઓ તરફ અમિત ચાવડાએ માર્મિક કટાક્ષ કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોઇ સરકાર કે, નેતાઓ કાયમી રહેતા નથી. જેથી નેતાઓના માનીતા બની રાજકીય એજન્ડાઓનો હાથો બનવાનું બંધ કરો આ મામલે સાનમાં સમજો નહિતર આવનારી સરકાર અને દેશની જનતા તમને છોડશે નહી.ગંભીર આરોપ લગાવતા અમિત ચાવડાએ ઉમેર્યું હતું કે સરકારના એજન્ટ બનીને કામ કરતા અધિકારીઓને કોંગ્રેસની સરકાર બનશે તો છોડશે નહી. તેમ કહી ED, IT, CBIના અધિકારીઓને અમિત ચાવડાએ ચીમકી આપી હતી. સરકારના આ અન્યાય સામે અવાજ ઉઠાવવા આવતીકાલે અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તા તથા અધિકારીઓનો ભોગ બનેલા લોકો ઉમટી પડશે અને GMDC ગ્રાઉન્ડથી ED કચેરી તરફ આગેકૂચ કરશે જેમાં જોડાવા આહવાન કરાયું છે.
કોંગ્રેસે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલો
વધુમાં ગુજરાતમાં ફાંટી નીકળેલ કોમી તોફાનો મામલે કોંગ્રેસે રાજ્યની કાયદો વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા હતા. પોલીસ પર આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે પોલીસ હપ્તા વસૂલી રહી છે.પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી કાયદો-વ્યવસ્થા કથળી રહી છે. કાયદો સ્થિતિ જાળવવા કરતાં પોલીસ વિભાગ અને સરકારનું ધ્યાન બીજી પ્રવૃતિમાં વધુ હોય છે.
અગાઉ જગદીશ ઠાકોરે આપ્યું હતુ આવું નિવેદન
અગાઉ ભિલોડા ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા નવ સંકલ્પ જન સંમેલન યોજાયું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, મધુસૂદન મિસ્ત્રી સહિત કેન્દ્રીય નેતાઓ હાજર રહ્યા હતા. આ તકે જગદીશ ઠાકોરે જણાવ્યુ હતું કે પોલીસ વિભાગમાં પણ 95 ટકા સારા માણસો છે, કાયદાને સમજે છે, જાણે છે. જ્યારે 5 ટકા પોલીસવાળાઓ ભાજપના માનીતા છે. ત્યારે આવા લોકો ચેતી જાય ખોટી રીતે હેરાન કરવાવાળાને અમારી સરકાર આવે એ દિવસે એક કલાકની 500 કિલોમીટર કપડા વગર દોડવાની તૈયારી રાખજે તેવી ગર્ભિત ધમકી આપી હતી.