AUDAએ તાજેતરની 6 TP સ્કીમમાં અલગ અલગ પ્લોટને અલગ અલગ કોમ્યુનિટી યુઝ માટે રિઝર્વ કર્યા છે.
AMCએ નવા વિસ્તારોને શહેરમાં ઉમેર્યા બાદ હવે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ AUDAએ 6 TP સ્કીમમાં જમીનને અલગ અલગ હેતુઓ માટે વર્ગીકૃત કરાઈ છે.
આ ઉપરાંત એક મોટા નિર્ણયમાં છારોડી પાસેના વિરોચનનગરની 799 હેકટર જમીન જે સાણંદ વિરમગામ રોડની ઉત્તર દિશામાં આવેલી છે તે જમીનને કૃષિની જમીનમાંથી ઔદ્યોગિક વપરાશ માટે વાપરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
6 TPને વિવિધ હેતુઓ માટે વર્ગીકૃત કરાઈ
6 TPને વિવિધ હેતુઓ માટે વર્ગીકૃત કરાઈ છે. આ TP સ્કીમમાં સાણંદ, લીલાપુર-ઓગણજ, ઓગણજ-છારોડી-ખોડિયાર, બારેજા, મણિપુર-ગોધાવી અને જાસપુર-ખોડિયારનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં 18 હેકટર સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગોના હાઉસિંગ માટે, 14 હેકટર પાર્ક અને ગાર્ડન બનાવવા અને 53 હેકટર શાળાઓ, શોપિંગ મોલ, પરિવહન જેવી સામાજિક સુવિધાઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવવામાં આવ્યા છે.
ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેના વિસ્તારમાં TP સ્કીમ તૈયાર કરવાની ઓથોરિટી AMCને અપાઈ
આ ઉપરાંત AUDA બોર્ડે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેના હમણાં જ ઉમેરાયેલા વિસ્તારમાં TP સ્કીમ તૈયાર કરવાની ઓથોરિટી AMCને આપી છે. આ વિસ્તારમાં AMC એન્ટી એન્ક્રોચમેન્ટ ડ્રાઈવ અને નવા રોડ અને સુવિધાઓનું બાંધકામ કરાવી શકશે.