કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાઓ વચ્ચે અમદાવાદનું સિવિલ તંત્ર સજ્જ થઈ ગયું છે. અમદાવાદ સિવિલમાં 1200 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે.કોરોના માટે 3 હજાર બેડની વ્યવસ્થા
કોરોના સંક્રમણના વધતા કેસથી સિવિલ તંત્ર સજ્જ
ઓક્સિજન ટેન્ક અને દવાનો જથ્થો વધારાયો
ઓમિક્રોન ત્રણ ગણો ઝડપથી વધી રહ્યો છે; સુપ્રિ.
દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાઓ વચ્ચે અમદાવાદનું સિવિલ તંત્ર સજ્જ થઈ ગયું છે. અમદાવાદ સિવિલમાં 1200 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે.. કોરોના માટે 3 હજાર બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત ઓક્સિજન ટેન્ક અને દવાનો જથ્થો વધારવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જશીએ જણાવ્યું કે નાગરિકોએ ધ્યાન રાખવું જોઈએ. ઓમિક્રોન ત્રણ ગણો ઝડપથી વધી રહ્યો છે.. જેથી મેળાવડા અને બિન જરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ.. સાથે જ જણાવ્યું કે લોકડાઉન કોઈ નિરાકરણ નથી. લોકોએ ખુદ સાવચેતી રાખવાની જરૂર છે.
અમદાવાદમાં માં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના વધુ 182 કેસ નોંધાયા છે. 12 દિવસમાં જ કોરોનાના કેસમાં લગભગ 25 ગણો વધારો થયો છે. 12 દિવસ પહેલાં એટલે કે 18 ડિસેમ્બરે માત્ર 14 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત 206 દિવસના ગાળા પછી આટલી મોટી સંખ્યામાં કેસ આવ્યા છે. અગાઉ 4 જૂને 176 કેસ નોંધાયા હતા. આમ સોમવારે અમદાવાદમાં 178 કેસની સરખામણીએ મંગળવારે વઘુ 4 કેસ નોઘાતા આંક 182 પર પહોંચ્યો છે. મંગળવારે નોંધાયા કેસમાં સૌથી વધુ બોડકદેવ, મણિનગર, થલતેજ અને ચાંદલોડિયાના છે.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઓમિક્રોનના ખતરા વચ્ચે કોરોનાએ ફરીથી ચિંતામાં વધારો કર્યો છે.ત્યારે મંગળવારે માત્ર અમદાવાદમાંજ 182 પોઝિટીવ કેસ નોધાતા આરોગ્યતંત્રમાં ધોડધામ મચી ગઈ છે.ત્યારે અમદાવાદના બોડકદેવ, થલતેજ, ચાંદલોડિયા, ચાંદખેડા, ઘાટલોડિયા, વસ્ત્રાપુર, મણિનગર વિસ્તારો હોટ સ્પોટ વિસ્તારો જાહેર થયા છે. બીજી તરફ અમદાવાદમાં એકા એક પુનઃ કોરોના કેસ વધતાં મનપાના આરોગ્ય વિભાગે ટેસ્ટિંગમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં વધુ ડોમ ઉભા કરવામાં આવશે.