એશિયાની સૌથી મોટી ગણાતી હોસ્પિટલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ આજથી 12 વર્ષ પહેલા આજના જ દિવસે ધણધણી ઉઠી હતી. અમદાવાદ સિવિલના સિરિયલ બ્લાસ્ટે એ વખતે આખા ભારતને જ નહીં પણ વિશ્વના કાન સુધી આતંકવાદીની ચીસ પહોંચાડી હતી. તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહ ગુજરાત દોડી આવ્યા હતા. આવો જાણીએ શું હતી એ ગોઝારી ઘટના.
26મી જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ
56 લોકોના મોત થયા હતા અને 200 લોકો ઘાયલ
70 મિનિટની અંદર 21 બોમ્બ બ્લાસ્ટ
અમદાવાદ સિવિલ હોસ્પિટમાં 26મી જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટના ભણકારા હજુ પણ અમદાવાદીઓ ભૂલ્યા નથી ત્યારે આવો જાણીએ શું હતી ઘટના?
શું હતી દુર્ઘટના?
ગુજરાતના અમદાવાદ શહેરમાં આજથી 12 વર્ષ પહેલા 26મી જુલાઇ કાળ બનીને આવી હતી. 26 જુલાઇ 2008ના દિવસે શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટ થયા હતા. પરંતુ આ કંપાવી દેવાની દુર્ઘટનાને હજુ સુધી લોકો ભુલી શક્યા નથી.
આ બૉમ્બ બ્લાસ્ટમાં 56 લોકોના મોત નિપજ્યાં હતા જ્યારે 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
56 લોકોના મોત થયા હતા અને 200 લોકો ઘાયલ
બૉમ્બ બ્લાસ્ટમાં જે લોકોના મોત થયા હતા તે લોકોના સગાસંબંધીઓ માટે 26મી જુલાઇની તારીખ હમેશા દુઃખ લઇને આવે છે.
આ બ્લાસ્ટમાં 56 લોકોના મોત થયા હતા અને 200 લોકો ધાયલ થયા હતા.
70 મિનિટની અંદર 21 બોમ્બ બ્લાસ્ટ
26મી જુલાઇ 2008ના દિવસે અમદાવાદ શહેરમાં 70 મિનિટની અંદર 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટથી સમગ્ર અમદાવાદ જ નહીં બલ્કે ભારત પણ ધણધણી ઉઠ્યુ હતું.
ગુજરાતના વાણીજ્ય અને સાંસ્કૃતિક હાર્ટ બની ગયેલા અમદાવાદમાં લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી. આ બ્લાસ્ટ ઓછી તિવ્રતા વાળા હતા પરંતુ ભારે તારાજી સર્જાઇ હતી.
શહેરની બસનો ટાર્ગેટ બનાવવામાં આવી હતી
આ બ્લાસ્ટ શહેરની બસનો ટાર્ગેટ બનાવવામાં આવી હતી. બે હોસ્પિટલના પ્રાંગણમાં પણ બ્લાસ્ટ થયા હતા. જેમાં અમદાવાદ સીવીલ હોસ્પિટલનો સમાવેશ થાય છે. શરૂઆતી બ્લાસ્ટ બાદ આશરે 40 મિનિટમાં હોસ્પિટલમાં બ્લાસ્ટ થયા હતા. બે જીવતા બોમ્બ પણ મણિનગરમાંથી મળી આવ્યા હતા. આ બ્લાસ્ટના એક દિવસ બાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પણ વધુ એક બોમ્બ નિષ્ક્રિય કરાયો હતો.