અમદાવાદ સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને વગર પૈસે પણ સ્ટાફની જરૂર હોય ત્યારે પણ કામ કરવાની તૈયારી દર્શાવી છે. કટોકટીમાં લોકસેવાના નર્સિંગ સ્ટાફના આ જજબાને સલામ છે.
કોરોના વાયરસ સામે જીતીશું જંગ
નર્સિંગ સ્ટાફનો CM રૂપાણીને પત્ર
વિના મૂલ્યે કામ કરવાની દર્શાવી ઈચ્છા
કોરોના વાયરસના ગુજરાતમાં શંકાસ્પદ કેસ દેખાઈ રહ્યા છે. ત્યારે હવે વાયરસ સામે લડવા માટે નર્સિંગ યુનિયને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.
શું કહ્યું નર્સિંગ સ્ટાફે?
ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કહેવામાં આવ્યુ છે કે, વાયરસ સામે લડવા માટે નર્સિંગ સ્ટાફ તમામ પ્રકારથી તૈયાર છે. સ્ટાફની જરૂર પડે તો વિના મૂલ્યે કામ કરવાની નર્સિંગ સ્ટાફે તૈયારી દર્શાવી છે. અવેરનેસ અથવા ઈમરજન્સીમાં પણ નર્સિંગ સ્ટાફે કામ કરવાની ઈચ્છા દર્શાવી છે.