અમદાવાદમાં ચોમાસાની શરુઆત થતાની સાથે જ અમદાવાદમાં ઝાડા, ઉલ્ટી, કમળો, ટાઇફોઇડ સહિત મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો
અમદાવાદ સહિત ગુજરાતમાં પાણીજન્ય, મચ્છરજન્ય રોગમાં વધારો
અમદાવાદ સિવિલ હોસ્પિટલના દર્દીઓની સંખ્યામાં થયો વધારો
ખરાબ પાણી અને ખોરાક સહિત મચ્છરના ઉપદ્રવના કારણે રોગચાળો ફેલાયો
કોરોનાની બીજી લહેર શાંત થતા જ હવે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો થતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓથી ખાટલા ભરાયા છે. ચોમાસાની શરુઆત થતાની સાથે જ અમદાવાદમાં ઝાડા, ઉલ્ટી, કમળો, ટાઇફોઇડ સહિત મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો છે.
શહેરમાં જુલાઈ મહિનાના કેસ પર નજર કરીએ તો..
ઝાડા- ઉલટીના 529
કમળાના 125
ટાઈફોઈડના 212
સાદા મેલેરિયાના 88
ઝેરી મેલેરિયાના 75
ડેગ્યુના 45
ચીકનગુનિયાના 17 કેસ
કોરોના બાદ સિવિલ હોસ્પિટલમાં વધી રહેલા મચ્છરજન્ય રોગોને કારણે દર્દીઓનો રાફડો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પાણીજન્ય રોગમાં ઝાડા-ઉલ્ટી, કમળો, ટાઇફોડ, સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. કોરોનાની બીજી લહેર તો સમી છે. પરંતુ હવે ધીરે ધીરે ઓપીડી પણ શરુ થઇ તો, બીજી તરફ દર્દીઓની સંખ્યમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે. દર્દીઓની દવાઓની બારીઓ પર લાંબી કતારો નજરે પડી રહી છે. કોરોના બાદ વધુ એક બીમારીએ શહેરીજનોની ચિંતા વધારી છે. ત્યારે કોરોનાની જેમ જ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારોએ તબીબોની ચિંતા વધારી છે. ત્યારે vtv પણ જનતાને અપીલ કરી રહ્યું છે કે, સામાન્ય તાવ આવે તો પણ સાવચેતી રાખવી અને ડોક્ટરનો સંપર્ક કરવો.