અમદાવાદ સિવિલની વધુ એક વખત બેદરકારી સામે આવી છે. પોરબંદર કોંગ્રેસના શહેર મંત્રી પ્રવિણ બરીદુન સિવિલમાંથી ગુમ થયા હતા. મહત્વનું છે કે કેન્સરની સારવાર માટે પ્રવિણ બરીદુનને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ પરિવારને વારંવાર પૂછપરછ કરતા તેઓને જાણ કરાઈ નહોતી. ત્યારે હવે દર્દીના મોતના 9 દિવસ બાદ તેમના મૃત્યુની વિગત સામે આવી છે. સમગ્ર મામલો સામે આવતા સુપ્રિન્ટેન્ડેન્ટે મૃત્યુની પુષ્ટી કરી છે.
અમદાવાદનું નઘરોડ સિવિલ હોસ્પિટલ તંત્ર
અમદાવાદ સિવિલની એક બાદ એક બેદરકારીની ઘટનાઓ
ફરી પોરબંદરના દર્દીને લઇ વિવાદમાં અમદાવાદ સિવિલ
5 મેના રોજ પ્રવિણભાઈ કેન્સરની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. આઈસોલેશન વોર્ડમાં ટ્રાન્સફર કરાયા બાદ દર્દી ગાયબ થયા હતા. આઈસોલેશનમાં દાખલ કરાયા બાદ પરિવારનો તેમનાથી સંપર્ક કપાયો હતો. 8 દિવસથી દર્દી હોસ્પિટલમાં ન હોવાના પરિવારના આક્ષેપ બાદ સિવિલ તંત્ર સફાળુ જાગ્યુ હતું. જેમાં પહેલા તો જેમ સામાન્ય લોકોને કરે છે તેમ હોસ્પિટલ તંત્ર પાસે દર્દીને લઈને કોઈ જવાબ ન હતો. પરંતુ અર્જૂન મોઢવાડિયાએ હોસ્પિટલ તંત્ર સામે સવાલ ઉઠાવ્યા બાદ તંત્ર દોડચું થયું હતું.
બેદરકારીનો ઘટનાક્રમ
પોરબંદરના કોંગ્રેસ શહેરના મંત્રીને 4 મેના રોજ હોસ્પિટલમાં કરાયા દાખલ
પ્રવિણ બરીદુનને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી સિવિલમાં કરાયા હતા દાખલ
શ્વાસ લેવામાં તકલીફ હોવાથી પરિવારને કોરોનાનો રિપોર્ટ કરવાનું જણાવાયું
5 મેના રોજ પ્રવિણભાઈના દીકરાને હોસ્પિટલમાંથી ન અપાયો કોઈ જવાબ
શ્વાસ લેવામાં તકલીફ હતી કોવિડ સેન્ટરમાં રખાયા હતા: સુપ્રિટેન્ડેન્ટ
પરિવારને શોધ્યા પરંતુ તેઓ મળ્યા ન હતાઃ સુપ્રિટેન્ડેન્ટ
દર્દીના મોત મામલે આજે સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટે કરી પુષ્ટી
કેન્સરના દર્દીનું 4 મેના મૃત્યુ થયુ હતુ. દર્દીના પરિવારજનોને આજે મૃતદેહ સોંપવામાં આવશે. શ્વાસ લેવામાં તકલીફ હતી કોવિડ સેન્ટરમાં રખાયા હતા.
પ્રવિણ બરીદુનના પુત્રનું શું કહેવુ છે?
આ સમગ્ર બેદરકારી મામલે બરીદુનના પુત્રએ કહ્યું હતું કે મારા પિતાને 4 મેના રોજ એડમિટ કર્યા હતા. 4 મે બાદ પિતાનો કોરોનાનું ટેસ્ટિગ કર્યુ હતુ. હજુ સુધી કોરોનાનો રિપોર્ટ અંગે અમને જાણ નથી કરાઇ. આજે મારા પિતાની મૃત્યુની વાત કરી રહ્યા છે. જો કે બાદમાં માલૂમ પડ્યું હતું કે તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેથી તેમનું મોત કોરોનાથી નથી થયું તે વાત સ્પષ્ટ થઈ હતી.
સળગતા સવાલ
સિવિલમાં કેમ વારંવાર આવી બેદરકારી સામે આવે છે?
9 દિવસ પહેલા મોત થયું તો આજે કેમ મૃતદેહ સોપવામાં આવ્યો?
શું દર્દીઓ પ્રત્યે સિવિલ હોસ્પિટલની કોઈ જવાબદારી નથી બનતી?
9 દિવસ બાદ પરિવારને જાણ કરો તે કેટલું યોગ્ય?
શું દર્દીઓ પ્રત્યે આવી બેદરકારી યોગ્ય છે?
દર્દીનું મોત થાય અને પરિવારને જાણ પણ ન કરો શું એટલું વ્યસ્ત છે સિવિલનું તંત્ર?