અમદાવાદની સિવિલમાં ડેન્ટલ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરની ઘટ, ડેન્ટલ હોસ્પિટલમાં 60 દર્દીઓ વચ્ચે માત્ર એક જ ઓપરેશન થિયેટર છે
કોરોના બાદ મ્યુકોર્માઇકોસિસથી હેરાન દર્દીઓ
બેડ અને ઓપરેશન થિયેટરની સર્જાઈ અછત
60 દર્દીઓ વચ્ચે એક જ ઓપરેશન થિયેટર
અમદાવાદમાં મ્યુકોર્માઇકોસિસના કહેરથી બેડ અને ઓપરેશન થિયેટરની ઘટ ઉભી થઈ છે. સિવિલ હોસ્પિટલ ખાતે ડેન્ટલ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરની ઘટ છે. ડેન્ટલ હોસ્પિટલમાં 60 દર્દીઓ વચ્ચે માત્ર એક જ ઓપરેશન થિયેટર છે. સુવિધાના અભાવે દર્દીઓની સર્જરી કરવી મુશ્કેલ પડી રહી છે. દર્દીઓ વધતા એક નવું ઓપરેશન થિયેટર તાત્કાલિક શરૂ કરાયું હતું. પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબો દિવસમાં માત્ર 5 ઓપરેશન જ કરી શકે છે. સુવિધાના અભાવે તબીબો વધારે ઓપરેશન કરી શકતા નથી. ઇન્જેક્શન એન્ફોટેરેસીન પણ દર્દીઓને સરળતાનથી મળતા નથી. દવાઓ સમયસર મળી જાય તો બચી જાય તેવો તબીબો દાવો કરી રહ્યાં છે.
કોરોના અને મ્યકોર્માઈકોસિસ અંગે હાઈકોર્ટમાં સુનાવણી
એક તરફ તૌકતે વાવાઝોડાને લઈ સરકાનું સંપૂર્ણ ધ્યાન તેના પર છે. તો બીજી તરફ કોરોનાની સ્થિતિ અંગે હાઈકોર્ટમાં હજુ પણ સુનાવણી ચાલું છે. તો આવી જ એક અરજીમાં MBBSના વિદ્યાર્થીઓ અને આશાવર્કર બહેનોના રસીકરણને લઈ રજૂઆત થઈ છે. અરજદારે કહ્યું કે, સરકારે MBBSના વિદ્યાર્થીઓ અને આશાવર્કર બહેનોના રસીકરણને પ્રાથમિકતા આપવી જોઈએ. તેવી રજૂઆત કોર્ટ સમક્ષ થઈ છે. આ બંને વર્ગના લોકોને સરકારે કોવિડ સંલગ્ન કામગીરી સોંપી છે.
જસ્ટિસ ભાર્ગવ કારીયાએ કહ્યું કે, મેં જાતે 12 કલાક બેડની માહિતી ચકાસી
જસ્ટિસ ભાર્ગવે સરકાર દ્વારા રજૂ કરવામાં આવતા રિઅલ ટાઈમને લઈને પણ સવાલો કર્યા હતા. ખાલી બેડ વિશે લોકોને યોગ્ય માહિતી મળી રહે તેને લઈ જસ્ટિસ ભાર્ગવે કહ્યું કે, લોકોને ખાલી બેડ વિશે રિઅલ ટાઈમ ડેટા મળતો નથી. મેં પોતે 12 કલાક સુધી જાતે ચેક કર્યું છે. પરંતુ કોર્પોરેશનની કે સરકારી હોસ્પિટલની માહિતી અપડેટ થતી નથી.
રેમડેસિવિર અંગે સરકાર પાસે માગ્યો જવાબ
રેમડેસિવીર મુદ્દે પણ કોર્ટમાં જસ્ટિસ ભાર્ગવે સરકારને પ્રશ્ન કર્યો હતો. જ્યા રોજના માત્ર 16 હજાર જેટલા જ રેમડેસિવિર ઉપલબ્ધ થાય છે. પરંતુ રોજના 25 હજાર ઈન્જેકશનની જરૂ છે. શું આ રીતે સરકાર દર્દીઓને મરવા દેશે. આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ જવાબ દેવો પડશે. બંને તંત્ર વચ્ચે કોઈ કો-ઓર્ડિનેશન દેખાતું નથી.