અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે VTV સાથે ખાસ વાતચીત કરી હતી. 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઇ પોલીસ કમિશનરે નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેમણે કડક સંદેશ આપ્યો હતો.
અમદાવાદ CP સંજય શ્રીવાસ્તવની VTV સાથે ખાસ વાતચીત
31stને લઇ પોલીસ કમિશનરે આપ્યું નિવેદન
31st ઉજવણીને લઈને પોલીસ કમિશનરનો કડક સંદેશ
31 ડિસેમ્બરને લઈ અમદાવાદ પોલીસે એકશન પ્લાન તૈયાર છે. 31 ડિસેમ્બરે 9 વાગ્યા બાદ બહાર ફરતા લોકોની ડૉક્ટરી તપાસ થશે. જો નશો કર્યો હશે તો સીધા હોસ્પિટલમાં મોકલવામાં આવશે. કોરોનાના કારણે આ વર્ષે બ્રેથ એનલાઇઝર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. તો અમદાવાદમાં 31 ડિસેમ્બરને લઇ બંદોબસ્તમાં 7 DCP, 14 ACP ખડેપગ રહેશે. ઉપરાંત પોલીસ ખાનગી જગ્યાએ પણ ચેકિંગ કરશે.
સોસાયટીમાં કે પ્લોટમાં ભેગા થશો તો પણ થશે કાર્યવાહીઃ CP
ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે કહ્યું કે, આવતીકાલે 9 વાગ્યા પછી નિકળવા પર પ્રતિબંધ રહેશે. સોસાયટીમાં ભેગા થવાનું વિચારતા હોય તો પણ ભેગા ન થતાં. સોસાયટી હોય કે, પ્લોટ જ્યાં લોકો ભેગા થશે ત્યાં કાર્યવાહી થશે. કોરોના સંક્રમણથી થોડી રાહત મળી રહી છે હવે ભૂલ ન થવી જોઇએ. 2021માં લોકો ફિટ રહે તેવી અમદાવાદીઓને શુભેચ્છાઓ.
અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન
31 ડિસેમ્બરને લઈન અમદાવાદ પોલીસનો એકશન પ્લાન
9 વાગ્યા બાદ બહાર ફરતા લોકોનું તબીબી પરીક્ષણ કરાશે
જો નશો કર્યો હશે તો સીધા હોસ્પિટલ મોકલાશે
બ્રેથ એનલાઈઝર પર કોરોના મહામારીને ધ્યાને રાખીને પ્રતિબંધ
બંદોબસ્તમાં 7 DCP, 14 ACP ખડેપગે હાજર રહેશે
પોલીસ ખાનગી જગ્યાએ સરપ્રાઈઝ ચેકિંગ કરશે
હાલ અમદાવાદમાં રાત્રી કર્ફયુ અમલમાં છે જેનું કડક પાલન કરાશે
અમદાવાદમાં 28થી 30 ચેકપોસ્ટ પર ચેકિંગ કરાશે
અમદાવાદ બહારના વ્યક્તિને પ્રવેશ આપવામાં નહીં આવે
31 ડિસેમ્બરની ઉજવણી 9 વાગ્યા પછી નહીં કરી શકાય
જાહેરનામા મુજબ દિવસ દરમ્યાન ઉજવણી કરી શકશે
જાહેરનામા નો ભંગ થશે તો ગુનો નોંધાશે
ફાર્મ હાઉસ અને હોટલમાં પોલીસની વોચ રહેશે
સી.જી. રોડ, એસ.જી.હાઇવે જેવી જગ્યા પર ભીડ ન કરવી
પોલીસ સર્વેલ્સના કેમેરાથી પણ મોનિટરિંગ કરવામાં આવશે