'બેટી બચાવો-બેટી પઢાઓ' નારાને જાણે અમદાવાદ શહેરની આ સ્કૂલ સાકાર કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી એક શાળા દ્વારા દીકરીઓના ભણતરને લઇને ફી માફીની પહેલ કરવામાં આવતા વાલીઓમાં ખુશી જોવા મળી છે.
નિકોલની શ્રી ગણેશ વિદ્યાલયની અનોખી પહેલ
બે દીકરી ધરાવતા પરિવાર માટે અનોખી પહેલા
બાળમંદિરથી ધોરણ-8 સુધીની 50 ટકા ફી ટ્રસ્ટ ભરશે
અમદાવાદના નિકોલ વિસ્તારમાં શ્રી ગણેશ વિદ્યાલયના નામની સ્કૂલ આવી છે. આ સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે જે વાલીઓને બે દિકરીઓ હશે તેમને ફી માફી આપવામાં આવશે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર શ્રી ગણેશ વિદ્યાલયના ટ્રસ્ટીઓ બે દીકરીઓ ધરાવતા પરીવાર માટે અનોખી પહેલ શરૂ કરી છે. જેમાં બે દિકરીના પરિવારને બાળમંદિરથી લઇને ધોરણ-8 સુધી 50 ટકા ફી માફ કરવામાં આવશે.
સ્કૂલ દ્વારા લેવામાં આ નિર્ણયની જાહેરાત વાલીઓને કરવામાં આવી છે. જો કે આ પહેલનો સ્કૂલમાં નવા શૈક્ષણિક સત્રથી અમલ કરવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા દીકરીઓને ભણાવવાની પહેલ કરવામાં આવી છે. ધોરણ-8 સુધી ટ્રસ્ટ ફી ભરશે. આમ રાજ્યમાં જ્યાં સ્કૂલો દ્વારા દર વર્ષે ફીમાં વધારો કરવામાં આવી રહી છે ત્યારે શ્રી ગણેશ સ્કૂલની આ અનોખી પહેલ વાલીઓ માટે એક આશીર્વાદ સમાન જોવા મળી રહી છે.