અમદાવાદના ચિરીપાલ ગ્રુપની કંપનીમાં ગેસ ગળતરની ઘટનામાં 4 કર્મચારીઓના મોત થયા હતા. 4 કર્મચારીઓના અવસાન બાદ પણ પોલીસ દ્વારા હજુ સુધી માલિક સામે કાર્યવાહી કરાઈ નથી. કોઠ પોલીસે યુનિટના કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધી છે. 4 લોકોના મોત પછી પણ ગ્રુપના માલિકો સામે કોઈ ગુનો નોંધાયો નથી. કંપનીના ચેરમેન અને માલિક સામે કાર્યવાહી કરવા મામલે પોલીસે મૌન સેવ્યું છે. ત્યારે આ અંગે ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મુખ્યમંત્રી રૂપાણીને રજૂઆત કરી છે.
MLA બળદેવજી ઠાકોરે CM રૂપાણીને કરી રજુઆત
ચિરીપાલ કંપનીના માલિક સામે કાયદાકીય કાર્યવાહી કરવા કરી રજુઆત
ચિરીપાલ કંપનીમાં ગેસ ગળતરથી થયા હતા 4 મજુરોના મોત
અમદાવાદની ચિરીપાલ કંપનીમાં ગેસ ગળતરના મામલે ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મુખ્યમંત્રી રૂપાણીને રજુઆત કરી છે. ચિરીપાલ કંપનીના માલિક સામે કાયદાકીય કાર્યવાહી કરવા રજુઆત કરી છે. ચિરીપાલ કંપનીમાં ગેસ ગળતરથી 4 મજુરોના મોત થયા હતાં. ચીરીપાલ કંપનીના માલિક વેદપ્રકાશ સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચિરીપાલ કંપનીમાં 4 મજૂરોના મોત મામલે નવો ખુલાસો થયો હતો. જેમાં રાજ્યના પૂર્વ DGP ચિતરંજનસિંહ બેજવાબદાર કંપનીના ડિરેકટર છે. વિશાલ ફેબ્રીકના ઈન્ડીપેન્ડન્ટ ડિરેકટર પૂર્વ DGP છે. નિવૃત પોલીસ અધિકારીઓના વગથી મજૂરોના મોતના સોદા થઈ રહ્યા છે. વિશાલ ફેબ્રીકમાં કોન્ટ્રાકટર તરીકે નિવૃત DySP પણ કાર્યરત છે. નિવૃત પોલીસ અધિકારીઓને કારણે ચિરીપાલ બંધુઓને પોલીસ છાવરી રહી છે.
તો બીજી તરફ GPCB દ્વારા પણ ચિરીપાલ ગ્રુપને છાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અન્ય કોઈ કંપનીમાં ઘટના બને તો GPCBના અધિકારીઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવે છે. જ્યારે ચિરીપાલ ગ્રુપ સામે કાર્યવાહી કરવા મામલે GPCBના અધિકારીઓ પણ મૌન છે. ચિરીપાલના માલિકોને સાચવવાની પોલીસની સરકારી પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. મશીનનો ખર્ચ ન થાય તે માટે ટેન્કની સફાઈ માટે કંપની દ્વારા લોકો પાસે કામ કરાવાય છે. માલિકો સામે ગુનો નોંધવાના બદલે કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધીને મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે.