હજુ શિયાળો ચાલી રહ્યો છે, ઉનાળામાં શાળાઓમાં પરીક્ષાઓ શરૂ થવાની પણ એકાદ બે મહિના જેટલી વાર છે. પરંતુ તે પહેલાતો રાજ્યની કેટલીક શાળાઓમાં પ્રવેશ કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે સુરતમાં એક સરકારી સ્કૂલમાં નવા સત્રમાં પોતાના સંતાનોને પ્રવેશ અપાવવા અત્યારથી જ વાલીઓની કતાર જામી છે. તો અમદવાદની એક સ્કૂમાં કમિટીએ નક્કી કરેલી ફી કરતાં પણ ઓછી ફી લઈને એક સ્કૂલે અને વાલીઓને આકર્ષિત કર્યા છે.
અત્યારથી જ પ્રવેશ કાર્યવાહી!!
અત્યારે તો ફેબ્રુઆરી ચાલે છે
દરેક શાળા આવી કેમ ન બની શકે?
તમને થશે કે ભરશિયાળે તે કંઈ કોઈ શાળા પ્રવેશ કાર્યવાહી શરૂ કરી દેતી હશે? તમારી વાત સાચી છે પરંતુ અહીં શાળાને ઉતાવળ નથી. ઉતાવળ છે તો વાલીઓને છે. કેમ કે વાલીઓમાં એ ગભરાટ છે કે કદાચ મોડું થાય તો પોતાના બાળકોને આવી શાળામાં પ્રવેશથી વંચિત રહી જાય તો!!! એટલે જ સુરતમાં વાલીઓ ભરઠંડીમાં રાતના ઉજાગરા કરીને પણ પોતાના સંતાનોને એડમિશન અપાવવા લાઈમાં બેસી ગયા છે. અમદાવાદમાં પણ વાલીઓઓ અત્યારથી જ કતારમાં ગોઠવાઈ ગયા છે.
સુરતઃ સરકારી શાળાનું શિક્ષણ જ નથી પરંતુ અભ્યાસ ઈત્તર પ્રવૃત્તિ પણ છે
સુરતની કોઇ ખાનગી શાળાના નહીં પરંતુ સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળામાં અત્યારથી જ પોતાના બાળકોના પ્રવેશ માટે વાલીઓની લાઈનો લાગી ગઈ છે. વાલીઓ વહેલો નંબર લાગે તે માટે રાત્રે બાર વાગ્યાથી જ લાઈમાં ગોઠવાઈ જાય છે. નવાઈની વાત એ છે કે, ખાનગી શાળા તરફના આકર્ષના આ જમાનામાં સુરતની મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળાએ અનેક વિદ્યાર્થીઓને પોતાના તરફ આકર્ષિત કર્યા છે. તેનુ કારણ માત્ર આ સરકારી શાળાનું શિક્ષણ જ નથી પરંતુ અભ્યાસ ઈત્તર પ્રવૃત્તિ પણ છે.
સરકારી શાળાનું શિક્ષણ જ નથી પરંતુ અભ્યાસ ઈત્તર પ્રવૃત્તિ પણ છે
સુરત સ્થિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળામાં બાળકોને સર્વાંગી વિકાસ કરવા માટે ક્વોલીફાઇડ સ્ટાફની સુવિધા છે. આ ઉપરાંત અંહી બાળકોને ભમરડા, લખોટી, લંગડી, ખોખો જેવી રમતો રમાડવામાં આવે છે. આજના મોબાઇલ અને કોમ્પ્યુટરના યુગમાં બાળકો શારિરિક રમતોથી વંચિત રહી ગયા છે. ત્યારે આ શાળા બાળકોને ફરીવાર યોગ્ય રસ્તે લાવી રહી છે. તેથી જ શાળામાં પોતાના બાળકોને ભણાવવા માટે વાલીઓ તલપાપડ થઇ રહ્યા છે.
અમદાવાદમાં ઠંડીમાં એડમીશન માટે વાલીની લાઇન લાગી
તમે આજ સુધી ફી અંગે વિરોધ કરી રહેલા વાલીઓને જ જોયા હશે. પરંતુ બાપુનગરમાં આવેલ ટ્રસ્ટ સંચાલિત ચાણક્ય વિદ્યાસંકુલમાં એડમીશન માટે વાલીઓ ગઈકાલ રાતથી કાતિલ ઠંડીમાં 24 કલાક ઉભેલા જોવા મળી રહ્યા છે.
ચાણક્ય વિદ્યાસંકુલમાં FRCના નિયમ કરતા પણ ઓછી લેવાય છે ફી
આ સ્કૂલમાં અત્યારથી પ્રવેશ માટે લાઈનનું કારણ એ છે કે, આ સ્કુલની ફી એફઆરસી નિયમ કરતા પણ ઓછી લેવાય છે. જો કે આ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત હોવાથી મર્યાદિત સંખ્યામાં વિધાર્થીઓને પ્રવેશ અપાય છે. જેથી આજે જુનીયર કેજીના વિધાર્થીઓના એડમીશન માટે વાલીઓની અહીં લાઈન લાગી છે. પોતાના સંતાનોને સરકારી કે પ્રાઇવેટ સ્કુલમાં એડમીશનના બદલે ટ્રસ્ટ સંચાલિત સ્કુલમાં એડમીશન મળે માટેની આશા રાખી રહ્યા છે.