અમદાવાદમાં ફરી વિશાલ ગોસ્વામીની ગેંગ સક્રિય થઇ છે. ગોસ્વામીની ગેંગના સાગરીત મનિષ ગોસ્વામીએ આ ધમકી આપી છે. આથી ચાંદખેડા પોલીસે મનિષ ગોસ્વામી સહિત 3 શખ્સો સામે ગુનો નોંધાયો છે. તેમજ અંકિત શાહ અને અન્ય એક શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદીએ શેરબજારમાં રૂપિયા 42 લાખ નુકસાન બાદ સવા કરોડ માંગ્યા છે. અને ફરિયાદીને ધમકી આપીને 4 લાખના 12 ચેક પડાવી લીધા છે. રૂપિયા ન આપતા છરી બતાવીને મારી નાખવાની ધમકી આપી છે. આ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથધરી છે.
શું છે સમગ્ર મામલો
ફરિયાદી જે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં રહે છે તેઓએ આજથી ફેબ્રુઆરી 2021ની અંદર તેમના કોઈ મિત્રના મારફતે અંકિત શાહના માધ્યમથી શેર બજારમાં રોકાણ કર્યું હતું. આ અંકિત શાહ મારફતે ફરિયાદીએ શેરબજારમાં 42 લાખનું રોકાણ કરેલું. જે બાદ ફરિયાદીએ વધુ રોકાણ કરવા માંગતા ન હતા. તેથી તેમનો નફો અને મૂડી આપવાનું જણાવ્યું હતું પણ અંકિત શાહે અલગ જ દાવ ખેલ્યો હતો. અને ફરિયાદીને કહ્યું હતું કે તમારા 42 લાખ રૂપિયામાં 1.25 કરોડનું નુકસાન થયું છે એટલે તમારે બાકીના રૂપિયા આપી દેવા પડશે. જે બાદ સતત ટૉર્ચર કરી ઉઘરાણી કરવામાં આવતી હતી
મારી નાખવાની પણ ધમકી આપી
માર્ચ 2022માં આ કામનો આરોપી અંક્તિ શાહેફરિયાદી પાસેથી બળજબરી પૂર્વક બેન્કના ચેકો લઈ ગયો હતો. જે બાદ સતત ચેકો બેન્કમાં વટાવ્યા હતા પણ રૂપિયા ન મળતા તે વધુ ઉગ્ર બન્યો અને અંકિત શાહે મનીષ ગોસ્વામી નામના અન્ય એક વધુ ઈસમ સાથે મળી ફરિયાદ સાથે મોટો ઝઘડો કર્યો હતો અને મારી નાખવાની પણ ધાક ધમકી આપી હતી. જે બાદ ફરિયાદ થતાં ચાંદખેડા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ તેજ કરી છે.
કોણ છે કુખ્યાત આરોપી વિશાલ ગોસ્વામી
વર્ષ 2020માં ક્રાઇમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું હતું કે સાબરમતી જેલમાંથી ખંડણીનું નેટવર્ક શરૂ કરનારા વિશાલ ગોસ્વામીએ અનેક વેપારીઓ પાસેથી 8 મહિનામાં 2020ના વર્ષ દરમિયાન અંદાજે 60 લાખ રૂપિયાની ખંડણી વસૂલી હતી. દર મહિને બેથી પાંચ લાખની ખંડણી જેલમાંથી ધમકીઓ આપી વસૂલતો હતો. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વિશાલ ગોસ્વામી, તેના ભાઈ અજય અને સાળા રિન્કુની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી.વિશાલે અમદાવાદમાં 3 હત્યા સહિત મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં મળી કુલ 13 હત્યા કરી છે. જ્યારે હત્યા સહિતના 50 ગુનાઓમાં વિશાલ પાંચ રાજ્યોમાં વોન્ટેડ હતો.