ગઈકાલે અમદાવાદમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો અને સાથે જ અમદાવાદ બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. આ સમયે સાંજે બેકાબૂ બનેલા ટોળાએ શાહઆલમ વિસ્તારમાં 4 પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો. આ પત્થરમારામાં પોતાનો જીવ બચાવવા માટે તમામ પોલીસોએ એક ખૂણામાં છૂપાઈ જવું પડ્યું હતું. તમામ પોલીસોને ભીડથી ઘેરી લેવામાં આવ્યા હતા. આ સમયે તેમને બચાવવા માટે 7 મુસ્લિમ યુવકો આગળ આવ્યા હતા. તેઓએ આ રીતે પોલીસકર્મીઓનો જીવ બચાવ્યો.
શાહઆલમ વિસ્તારમાં 4 પોલીસકર્મીઓ પર પથ્થરમારો
7 મુસ્લિમ યુવકોએ આ ખાસ રીતે બચાવ્યો પોલીસનો જીવ
યુવાઓની બહાદુરીનો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ
નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં દેશના મોટાભાગમાં હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હિંસાના સમયે કર્ણાટકના મંગલુરુમાં 2 અને લખનઉમાં 1 પ્રદર્શનકારીનું મોત નીપજ્યું છે. અનેક જગ્યાએ પોલીસ અને પ્રદર્શનકારીઓની વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં ટોળાએ હિંસાની હદ પાર કરી છે. જેમાં ડીસીપી, એસપી, અનેક ઇન્સ્પેક્ટરો સહિત 19 પોલીસવાળા ઈજાગ્રસ્ત થયા હતા. એક પોલીસવાળાએ તો ઉત્પાતિઓને એકલા જોઈને નિર્દયતાથી પીટ્યા. હિંસક ભીડમાં થોડા યુવા જોવા મળ્યા જેના કારણે પોલીસ હિંસક ટોળાથી બચી શકી હતી. ઈંટ અને પત્થરોના વરસાદ વચ્ચે યુવા પોલીસવાળાઓ ઢાલ બન્યા. ખાસ વાત તો એ છે કે આ યુવા પણ સીએએના વિરોધ પ્રદર્શનનો ભાગ બન્યા હતા.
શાહઆલમમાં 19 પોલીસકર્મીઓ થયા ઘાયલ
અમદાવાદના શાહઆલમમાં ગુરુવારે હજારો ઉગ્ર પ્રદર્શનકારીઓની ભીડ તાંડવ કરી રહી હતી. મોટા પથ્થરમારો અને ઇંટોની મદદથી પોલીસ પર હુમલો કરી રહી હતી. ડીસીપી બિપિન અહિરે, એસીપી રાજપાલ સિંહ રાણા સહિત 19 પોલીસકર્મી ઘાયલ થયા હતા. ઉપદ્વવીઓની ભીડ જાણે કે પોલીસનો જીવ લેવા માટે તૈયાર હતા.
ક્યાંક પોલીસ પર વરસ્યું ટોળું, તો ક્યાંક ટોળાના લોકોએ બચાવ્યો પોલીસનો જીવ
ભીડની વચ્ચે પોતાની બસમાં ચઢવાની કોશિશ કરતા પોલીસકર્મી જ્યારે પડી ગયો ત્યારે ભીડ તેની પર તૂટી પડી અને તેને બેરહેમીથી માર્યો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જ્યારે અન્ય જગ્યાએ શાહઆલમમાં ભીડથી 4 પોલીસકર્મીઓ ઘેરાઈ ગયા હતા ત્યારે ત્યાં હાજર 7 મુસ્લિમ યુવકોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને પોલીસકર્મીઓને બચાવ્યા હતા.
ગુજરાત બંધથી થઈ શરૂઆત
આ બધાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું. પ્રદર્શનકર્તાઓની ભીડ બપોર પછી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી. પોલીસે 30થી વધારે લોકોને કસ્ટડીમાં લીધા, ત્યારબાદ ભીડમાં રોષ વધ્યો અને અમદાવાદ પોલીસ પર ઈંટ અને પથ્થરોથી હુમલો કરવા લાગી.
હુમલામાં ફસાયા 4 પોલીસકર્મી
જ્યારે ટોળાએ સતત પથ્થરમારો કર્યો ત્યારે તેમાં 4 પોલીસકર્મી ફસાયા. ભીડ એટલી હિંસક હતી કે પોલીસકર્મી પોતાનો બચાવ કરી શક્યા નહીં. બંને તરફ દિવાલ હોવાથી તેમને ભાગવા માટે પણ રસ્તો મળ્યો નહીં. પોલીસકર્મીએ પ્લાસ્ટિકની ખુરશીની મદદથી પોતાને પત્થરોના હુમલાથી બચાવ્યા. કુર્સી પણ પત્થરોના મારથી તૂટી ગઈ.
આ રીતે અમદાવાદ પોલીસનો બચાવ્યો જીવ
અચાનક આ ચારેય અમદાવાદ પોલીસકર્મીઓને માટે ભગવાન બનીને 7 મુસ્લિમ યુવકો આવ્યા. ભીડમાંથી જ કેટલાક યુવકો આવ્યા જેઓએ તેમનો જીવ બચાવ્યો. એક યુવક બેંચની મદદથી પોલીસને બચાવી રહ્યો છે તો અન્યના હાથમાં તિરંગો છે. અને તે ભીડને રોકાઈ જવા માટે વારંવાર અપીલ કરી રહ્યો છે. માનવતાની મહેક આ ટોળામાં પણ જોવા મળી. તેઓએ જ આ પોલીસવાળાઓને ભીડમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા.