ઈન્કમ ટેક્સની સમગ્ર ભારતમાંથી 13 લાખ કરોડની આવક થાય છે. જે અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તહેમૂલ શેઠનાના નામે રૂપિયા 58 લાખ કરોડના આર્થિક વહેવારો થયા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ઈન્કમ ટેક્સ દ્વારા ગુજરાતના બજેટથી ત્રણ ગણા વધારે નાણાની નોટિસ ફટકારવામાં આવતા ખળભળાટ મચ્યો છે. તહેમૂલ શેઠનાએ આ મામલે કહ્યું કે, આ નોટિસમાં ભૂલ હોવાનું ઇન્કમટેક્સ વિભાગે સ્વીકાર્યું છે. મહત્વનું છે કે આ તહેમૂલ શેઠના મહેશ શાહના ચાર્ટડ એકાઉન્ટન્ટ છે.
તહેમૂલ શેઠનાને 6 લાખ 22 હજાર કરોડની નોટિસ ફટકારવામાં આવી
ગુજરાતના બજેટથી ત્રણ ગણા વધુની નોટિસ આવતા અનેક તર્ક વિતર્ક
તહેમૂલ શેઠનાએ જવાબ આપતા ઈન્કમટેક્સે પોતાની ભૂલ કબુલી
અમદાવાદના ચાર્ટડ એકાઉન્ટન્ટ તહેમૂલ શેઠનાને ઈન્કમટેક્સ વિભાગ દ્વારા 6 લાખ 22 હજાર કરોડની નોટિસ ફટકારવામાં આવી છે. ગુજરાતના બજેટથી ત્રણ ગણા વધુની નોટિસ આવતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. આ મામલે તહેમૂલ શેઠનાએ જવાબ આપતા ઈન્કમટેક્સે પોતાની ભૂલ કબુલી છે. આ નોટિસમાં ભૂલ હોવાનું ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સ્વીકારવામાં આવ્યુ છે.
મહેશ શાહના કેસ સંદર્ભે તહેમૂલ શેઠનાને 6 લાખ 22 હજાર કરોડની નોટિસ ફટકારવામાં આવી છે. શેઠના પાસેથી મહેશ શાહ સંદર્ભે ઈન્કમટેક્સને એક ડાયરી મળી આવી હતી. મહેશ શાહે IDAS સ્કીમ હેઠળ પોતાના 13 હજાર 860 કરોડ જાહેર કર્યા હતા. મહેશ શાહે 13 હજાર 860 કરોડ કાળા નાણા જાહેર કર્યા હતા. મહેશ શાહના ચાર્ટડ એકાઉન્ટન્ટ તહેમૂલ શેઠ હોવાના કારણે નોટિસ મોકલવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
દુનિયાના સૌથી મોટા અમીર વ્યક્તિ પાસે પણ આટલી રકમ નથી હોતીઃ શેઠના
આ મામલે તહેમૂલ શેઠનાએ જણાવ્યું હતું કે, આ નોટિસ મળી છે એ વાત સાચી છે પરંતુ આ નોટિસ ખોટી છે. આ નોટિસમાં 58 લાખ કરોડના આર્થિક વ્યવહારો થયાનું દર્શાવવામાં આવ્યું છે. શેઠનાએ કહ્યું કે, નોટિસમાં ઇન્કમ ટેક્સે જણાવ્યું છે કે '6 લાખ કરોડનું એડિશન કેમ ન કરાયું?' આ રકમ એટલી મોટી છે કે, દુનિયાના સૌથી મોટા અમીર વ્યક્તિ પાસે પણ આટલી રકમ નથી હોતી. જો હું રકમમાંથી ટેક્સ ભરી દઉને તો પણ મુકેશ અંબાણી કરતા વધુ પૈસા મારી પાસે રહે. એમને આટલી મોટી રકમ લખતા પહેલા વિચાર કરવો જોઈતો હતો. તેમણે ભૂલ કરી છે અને તેમણે કબૂલી પણ છે.
તેહમૂલ શેઠનાએ IDAS સ્કીમ હેઠળ 13 હજાર કરોડ ડિસ્ક્લોઝ કર્યા હતા
કરદાતાએ જાહેર ન કરેલી આવક જાહેર કરીને મુક્તિ મેળવી લેવા માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલી ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમમાં મહેશ શાહ સાથે મળીને તેહમૂલ શેઠનાએ રૂપિયા 13 હાજર 860 કરોડની આવક જાહેર કરવાની તૈયારી દર્શાવી હતી.
આ સ્કીમમાં તેમનું ડિક્લેરેશન ફોર્મ સ્વીકારતા પહેલા ગુજરાતના ચીફ કમિશનર પી.સી. મોદીએ સીબીડીટી-સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસના ચૅરમેન સાથે ચર્ચા કરીને મહેશ શાહ અને તેહમૂલ શેઠનાની અરજીનો સ્વીકાર કર્યો હતો.
એકવાર અરજી સ્વીકારી લીધા પછી આવકવેરાના પ્રિન્સિપાલ ચીફ કમિશનરને તે ફ્રોડ લાગતા તેમણે તેમની આ અરજીનો અસ્વીકાર કર્યો હતો. આ અરજીનો અસ્વીકાર કર્યા પછી બીજા દિવસે સવારે જ તેહમૂલ શેઠનાની અને મહેશ શાહના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો.
ત્રણ વર્ષે એકાએક છેલ્લા મહિનામાં નોટિસ ફટકારાતા અનેક તર્કવિતર્ક
પરંતુ આ દરોડા દરમિયાન તેઓ મોટી આવકની ચોરી કે બિનહિસાબી રકમ પકડી શક્યા નહોતા. પરિણામે મહિનાઓ સુધી તેનો વિવાદ ચાલ્યો હતો. આવકવેરા અધિકારીઓએ સર્ચ ઓપરેશન પૂરૂં કર્યા પછી ત્રણ વર્ષે એકાએક છેલ્લા મહિનામાં તેમને અકલ્પ્ય રકમની નોટિસ આપવામાં આવી છે. આ રકમ રૂપિયા 6 લાખ 22 હજાર કરોડની થાય છે. પરંતુ હાલ આ નોટિસમાં ભૂલ હોવાનું ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સ્વીકારવામાં આવ્યુ છે.