દિલ્હીમાં વિશ્વ માનવ અધિકાર આયોગ દ્વારા આયોજિત એક સન્માન સમારોહમાં અમદાવાદનાં ઉદ્યોગપતિ નઇમ તિરમીઝીનું વિશેષ સન્માન થયું હતું.
વર્લ્ડ હ્યુમન રાઇટ્સ કમીશનનો કાર્યક્રમ
દિલ્હીમાં વર્લ્ડ હ્યુમન રાઇટ્સ કમીશન દ્વારા ઈન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વાતાવરણમાં બદલાવ અને તેની માનવ અધિકાર પર અસર અંગે વૈશ્વિક દ્રષ્ટિકોણ પર વર્કશોપ અને એવોર્ડ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
અમદાવાદનાં ઉદ્યોગપતિને સન્માન
વિશ્વ માનવ અધિકાર આયોગ દ્વારા અમદાવાદનાં ઉદ્યોગપતિ નઇમ તિરમીઝીને ડૉક્ટરેટ પદવીથી નવાઝવામાં આવ્યા હતા.
આ મહાનુભાવો હાજર રહ્યા
આ કાર્યક્રમમાં જસ્ટિસ રાજીવ ટંડન, મેધા પાટકર, નેપાળના ભારત ખાતેના રાજદૂત નીલાંબર આચાર્ય, સુપ્રિમ કોર્ટના એડવોકેટ અને એન. આર. સી મેમ્બર શ્રીમતી જ્યોતિકા કાલરા, મદન બેઝબરૂઆ, ગૌર કાંજીલાલ અને રિપબ્લિક ઓફ ઝાંબીયાન રાજદૂત અને ફ્રાન્ટીસેક જીરાસેક વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા. તેમણે પર્યાવરણના બદલાવ પર ગહન ચર્ચાઓ કરી હતી.
અને આ કાર્યક્રમમાં અમદાવાદના ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર નઇમ સિરાજુદીન તિરમીઝીને તેમની વર્ષોની સફળ કારકિર્દી બદલ ડૉક્ટરેટથી સન્માન કરવામાં આવ્યું હતું.