પાટનગર ગાંધીનગરની મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમાં સૌથી મોટો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગાંધીનગર તાલુકાના ૧૪ ગામ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉમેરવાની તૈયારી ચાલી રહી છે. હાલમાં કોર્પોરેશને સીમાંકન માટે તૈયારીઓ હાથ ધરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. કોર્પોરેશનની આગામી બેઠકમાં ગાંધીનગર આ મુદ્દે ઠરાવ કરવામાં આવે તેવી શક્યતા છે
અત્યારે આઠ વોર્ડ છે. જેમાં બીજા ચારથી પાંચ વોર્ડનો વધારો થશે. હાલમાં 20 હજાર મતદારો દીઠ એક વોર્ડ છે. જે સંખ્યા વધારીને 30 હજારની કરાશે.નવા સીમાંકનને લઈને રાજકીય પરિબળો ઉપર પણ અસર થશે. હવે આ વિસ્તારના રહીશોને પ્રોપર્ટી ટેક્સ પ્રોફેશનલ ટેક્સ વાહનવેરા સહિતના વેરા ચૂકવવા પડશે.
કયા કયા ગામે અમદાવાદમાં ભળશે
ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં પેથાપુર, કોલવડા, વાવોલ અને દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં સરગાસણ, કુડાસણ, રાંદેસણ, કોબા, ભાટ, સુઘડ, અંબાપુર, પોર, શાહપુર, ખોરજ, ખોરજ સહિતનાં ગામો ભેળવવામાં આવશે. જયારે કોટેશ્વર, નાના ચિલોડા, અમિયાપુર, ઝુંડાલ ગામ માટે અસમંજસ છે. હજુ છેલ્લી ઘડીની નિર્ણાયક બેઠકો ચાલી રહી છે.
રાજકિય સમીકરણ
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશમાં નવ ગામને સમાવવાની વાત હતી, પરંતુ આ તમામ ગામોએ વિરોધ કરીને ગાંધીનગર મનપામાં ભળવાની તૈયારી બતાવતાં હવે રાજકીય સમીકરણો બદલાશે.
ગાંધીનગર મનપાના વોર્ડની સંખ્યા વધશે
આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગાંધીનગર કોર્પોરેશનની હદ વિસ્તારમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં તાલુકાના ૧૪ ગામ ગાંધીનગર મનપામાં ઉમેરવાની તડામાર તૈયારી ચાલી રહી છે. ગાંધીનગરના મનપામાં ખોરજ, સુઘડ, ભાટ, અંબાપુર, પેથાપુર, કોલવડા, વાવોલ, કુડાસણ, સરગાસણ, અંબાસણ, શાહપુર, કોટેશ્વર, અમિયાપુરને ગાંધીનગરમાં સમાવેશ કરવામાં આવશે. હવે નવા સીમાંકનના કારણે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડની સંખ્યા વધશે.