બોપલમાં પાટીની ટાંકી ઘરાશાયી થવાનો મામલો ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલીક અસરથી તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીના આદેશ બાદ સાણંદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચના કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, કમિટીમાં AMC ટેકનિકલ વિભાગના અધિકારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કમિટી દ્વારા ટાંકી બનાવનાર એન્જીનિયરને શોકોઝ નોટિસ પાઠવાઈ છે અને સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
શું બની હતી ઘટના?
અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. તેજસ સ્કૂલ પાસે ટાંકી ધરાશાયી થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. બોપલ વિસ્તારમાં ટાંકી ધરાશાયી થતાં ત્રણ વ્યક્તિનાં મોત થયા છે. ટાંકીની નીચે દટાયા 4 લોકોને બહાર કઢાયા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 12, 2019
તેજસ સ્કૂલ પાસેની સંસ્કૃતિ ફલેટ પાસે બનાવ બન્યો છે. પાણીની ટાંકી ધરાશયી થતાં બે લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 8થી 10 લોકો દબાયા હોવાની આશંકા છે. તમામ ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કલેકટર વિક્રાંત પાંડેએ Vtv સાતે વાત કરતાં જણાવ્યું.
અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશયી થવાના મામલે ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. શહેરના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશયી થવાની દૂર્ઘટના સામે આવી છે. જેમાં 3 લોકોનાં મોત નિપજ્યાં છે.
પાણીની ટાંકી 17 વર્ષ જૂની હોવાનું ખુલ્યું
આ પાણીની ટાંકી 17 વર્ષ જૂની હોવાનું બહાર આવ્યું છે. આ પાણીની ટીંકી હાલત ઘણી જર્જરિત થઇ ગઇ હતી. સ્થાનિક લોકો દ્વારા બોપલ નગરપાલિકામાં આ અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા.