2008માં અમદાવાદમાં જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તેના આરોપીઓને આજે કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. જેમા 38 આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી છે. જ્યારે 11 આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવી છે.
બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપીઓને સજા મળી
38 આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી
11 આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવી
અમદાવાદમાં 2008ના એ બોમ્બ બ્લાસ્ટ જ્યારે અમદાવાદ આખું ધ્રુજી ઉઠ્યું હતું. તે દરેક અમદાવાદી ક્યારેય ભૂલી નહી શકે. જોકે આ કેસમાં હવે 14 વર્ષની લાંબી લડત બાદ આરોપીઓને આજે કોર્ટ દ્વારા 38 આરોપીઓને સજા આપવામાં આવી છે જ્યારે 11 આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવી છે. મહત્વનું છે કે 14 વર્ષ બાદ બોમ્બ બ્લાસ્ટનો ભોગ બનનાર પીડિતોના પરિવારને આજે અન્ય મળ્યો છે.
2008 Ahmedabad serial bomb blast case | A special court pronounces death sentence to 38 out of 49 convicts pic.twitter.com/CtcEWGze2z
આપને જણાવી દઈએ કે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો આજે ઐતિહાસીક ચુકાદો આવ્યો છે. જેમા એક સાથે કુલ 38 દોષીતોને ફાંસીની સજા ફટકારાવામાં આવી છે. આપને જણાવી દઈએ કે 1 થી 18 નંબરના દોષીતોને ફાંસીની સજાનું એલાન કરવામાં આવ્યું છે. સાથેજ 27,28,31 નંબરના દોષીતોને ફાંસીની સજા એલાન કરવામાં આવ્યું સાથેજ 36 થી 40 અને 42,44,45,47,49,50,60,63,69,70,75,78 નંબરના દોષીતોને ફાંસીની સજાનુ એલાન
11 દોષીતોને આજીવન કેદની સજા
આ સીવાય 11 દોષીતો એવા છે કે જેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તેઓ જ્યા સુધી જીવે ત્યા સુધી તેમને કેદની સજા આપવામાં આવી છે. મૃતકના પરિવારજનોને 1 સલાખનુ વળતર ચૂકવવામાં આવશે તેવો કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. સાથેજ જે લોકોને બ્લાસ્ટમાં ઈજા પહોચી હતી તેમને 50 હજારનું વળતર આપવામાં આવશે. ઉપરાંત સામાન્ય ઈજા પહોચી હશે તેમને 25 હજારનું વળતર ચૂંકવવામાં આવશે.
14 વર્ષની લાંબી લડત બાદ ન્યાય મળ્યો
2008માં થયેલા અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટે સપ્તાહ અગાઉ ચુકાદો આપ્યા બાદ હવે ખાસ અદાલત આજે સજાનું એલાનનું એલાન કર્યું છે. 14 વર્ષની લાંબી લડત બાદ સ્પેશિયલ કોર્ટ ચુકાદો આપ્યો. 11 ફેબ્રુઆરીએ સજાનાં એલાન પર કોર્ટ દ્વારા તમામ 49 દોષિતોનો પક્ષ સાંભળવામાં આવ્યો. દોષિતોના વકીલ વિશેષ અદાલત સમક્ષ આરોપી તરફથી પોતાની રજૂઆત કોર્ટ સમક્ષ કરી. જેમાં કોર્ટે તમામ પક્ષની રજૂઆત એક બાદ એક સાંભળી જેના કારણે દોષિતોની સજાના એલાન પર હજુ વધુ સમય લાગ્યો હતો. જોકે આજે શુક્રવારના રોજ 14 વર્ષથી ન્યાયની રાહ જોતા હજારો પરિવારો ન્યાય મળ્યો છે.. વિશેષ કોર્ટમાં બચાવ પક્ષ અને સરકાર પક્ષની તમામ રજૂઆતો અને દલીલો રજૂ થઈ ચૂંકી હતી.
સરકારે કરી હતી કડક સજાની માંગ
49 લોકોને બ્લાસ્ટ મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે 28 આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા હતા. જોકે રાજ્ય સરકારે દોષીતોને કડક સજા થાય તેવી માંગ કરી હતી. આ 49 લોકોને બ્લાસ્ટ મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા હતાં, જ્યારે 28 આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સીરિયલ બ્લાસ્ટમાં 54 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જયારે 244 લોકોને ગંભીર ઇજાઓ થઇ હતી. તેમજ રાજ્યના મંત્રી પ્રદીપ પરમાર પણ બૉમ્બ બ્લાસ્ટમાં ઘાયલ થયા હતાં. તેમજ આ બ્લાસ્ટ કેસમાં એક હજાર 163 સાક્ષીઓની જુબાની લેવાઈ હતી. જ્યારે એક હજાર 237 સાક્ષીઓને સરકારે પડતા મુકયા હતા. અત્યાર સુધીમાં આરોપીઓ સામે 521 ચાર્જશીટ થઈ હતી. આ દરેક આરોપીઓનું ફર્ધર સ્ટેટમેન્ટ 4700 પાનાંનું છે.
આરોપીઓ વિરુદ્ધ કઈ કલમ?
ઇન્ડિયન પીનલ કોડ 1860 ની કલમ 120(બી), 121(એ), 124(એ), 153(ક)(૧)(ખ), 302, 307, 326, 435, 427, 465, 467, 471, 212 તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એકટ 1908 ની કલમ 3, 5, 6, 7 તથા અનલોફુલ એક્ટિવિટી પ્રિવેંશન એકટ 1967 ની કલમ 10, 13, 16, 18, 19, 20, 23, 38, 39, 40 તથા આર્મ્સ એકટ 1959 ની કલમ 25(1)(બી)(એ), 27 તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ 2000 ની કલમ 65, 66 તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ 1984 ની કલમ 3, 4 મુજબ ગુનો નોંધાયો હતો અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
આખરે દોષીતોને મળી સજા
9 ફેબ્રુઆરીએ આ 49 દોષિતમાંથી 1 દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરતાં તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે. ત્યારથી અત્યાર સુધી સજાનાં એલાન માંટે આ ચોથી સુનાવણી હતી જેમા આજે 38 આરોપીઓને ફાંસીની અને 11 આરોપીઓને આજીવન કેદની સજા આપી દેવામાં આવી છે.