ભાવનગર અમદાવાદને જોડતા માર્ગ પર અકસ્માતના બનાવોમા વધારો થયો છે. રોડ સાંકડો હોવાના કારણે અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે.. અકસ્માત બાદ પણ સરકારી બાબુઓ કેમ જાગતા નથી. શું છે રોડની હકીકત? રોડને બનાવવા માટે કેમ કામગીરી કરવામાં આવી નથી
ઉલ્લેખનીય છે કે રોડ સાંકડો હોવાના કારણે લોકોને છેલ્લા ઘણા સમયથી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ પર છેલ્લા ઘણા સમયથી અકસ્માત થઇ રહ્યા છે. રોડપર વધી રહેલા અકસ્માતને જોઈને સરકારે રોડને ફોર લેન બનાવવાની જાહેરાત કરી છે. પરંતુ સરકારની વાતો માત્ર કાગળ પર હોય તેવુ લાગી રહ્યુ છે.
મહત્વનુ છે કે ભાવનગરથી અમદાવાદ તરફ આવવા માટે રસ્તા પર આવેલા પૂલ પણ તુટેલી હાલતમાં છે. આ રસ્તા સાંકડા હોવાના કારણે 2017થી અત્યાર સુધીમાં 191 અકસ્માતના બનાવો બન્યા છે. આ અકસ્માતમાં 144થી વધુ લોકોના મોત થયા છે. સરકાર દ્વારા રોડ બનાવવા માટે ટેન્ડર તો બહાર પાડવામાં આવ્યા છે. પરંતુ રોડની કામગીરી શરૂ કરવામાં આવી નથી. તો બીજી તરફ RTOના અધિકારીઓ દ્વારા મોટા વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવતું નથી. જેના કારણે પણ અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. આ મામલે ભાવનગર મેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે.. પરંતુ હજુ સુધી કોઇ રસ્તો નથી નિકળ્યો.