કોરોના વાયરસના પગલે છેલ્લા એક મહિનાથી લોક ડાઉનનો માહોલ ચાલી રહ્યો છે. તેવા સંજોગોમાં તમામ કોર્ટ પણ બંધ હાલતમાં છે તેવામાં કોર્ટની અંદર પ્રેક્ટિસ કરતાં જરૂરિયાતમંદ વકીલોની વ્હારે ગુજરાત બાર કાઉન્સિલ આવ્યું છે.
કોરોનાથી ઉભી થયેલી સ્થિતિને લઈને બાર કાઉન્સિલનો નિર્ણય
જરૂરિયાતમંદ વકીલને કરશે દર મહિને 5000ની સહાય
8500 વકીલોને મળશે લાભ
જેમાં વર્ષ 2006 થી વકીલાતની પ્રેક્ટિસ કરતા એવા વકીલો જેમને આર્થિક સ્થતિ નબળી હોય તેવા વકીલો માટે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા 47,000 ધારાશાસ્ત્રીઓને સમગ્ર ગુજરાતના 270 બાર એસોસિએશનમાંથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી.
રાજ્યના 8500 વકીલને દર મહિને મળશે 5000
જેમાં સમગ્ર ગુજરાતમાંથી 13,037 વકીલોએ મહિને રૂપિયા 5000/- મેળવવા માટેની ઓનલાઇન અરજી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કરી હતી, ત્યારબાદ એક્ઝિક્યુટિવ કમિટીએ અરજી કરેલા વકીલોની ખરાઈ કરીને લગભગ સાડા આઠ હાજર વકીલોને યાદી બનાવી તેમના ખાતા નંબર મંગાવ્યા હતા.
બાર કાઉન્સિલનો મોટો નિર્ણય
તે તમામ ધારાશાસ્ત્રીઓને મહિને રૂપિયા 5000/- આવનારા સાત દિવસમાં મળવાના શરુ થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે સૌ પ્રથમ વખત ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા આવું પગલું ભરવામાં આવ્યું છે તે વાત પણ હકીકત છે.