પતિના અત્યાચારથી કંટાળીને અમદાવાદની સાબરમતી નદીમાં ઝંપલાવીને જીવ આપી દેનારી આઇશાના મોત બાદ AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કડક પ્રતિક્રિયા આપી છે.
મુસ્લિમ સમાજના લોકોને ઓવૈસીએ આપી શીખ
પત્નીને હેરાન કરનારા નર્કમાં જાય છે: ઓવૈસી
પત્ની પર અત્યાચાર કરનારા મર્દ ન કહેવાય: ઓવૈસી
અમદાવાદની દીકરી આઈશાના આપઘાત પર AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, હું તમને સૌને અપીલ કરી રહ્યો છું ભલે તમે કોઇ પણ ધર્મથી હોવ દહેજની લાલચ ખતમ કરો. આ દરમિયાન તમને કહ્યું કે, હું એ તમામ મુસ્લિમોને અપીલ કરી રહ્યો છું કે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહ અલૈહિ વસલ્લમ (પૈગમ્બર મોહમ્મદ)ને ઇર્શાદ આદેશ આપ્યો હતો કે તમે સૌથી સારા છો જે પોતાના ઘરવાળાઓ સાથે સારો વ્યવહાર કરે.
ઓવૈસીએ કહ્યું કે, અમદાવાદમાં જે મુસ્લિમ દીકરીનો દર્દનાક વીડિયો આવ્યો છે જેણે આત્મહત્યા કરી લીધી. હું તમે સૌને અપીલ કરી રહ્યો છું ભલે તમે કોઇ પણ ધર્મથી દહેજની લાલચને ખતમ કરો. પરંતુ તમે મરદ હોવ તો પત્ની પર જુલમ કરવો મર્દાનગી નથી. પત્નીને મારવી મર્દાનગી નથી. પત્ની પાસેથી પૈસા(દહેજ) માંગવુ મર્દાનગી નથી. તમે મર્દને લાયક નથી જો તમે આવું કરશો.
તેમણે કહ્યું કે, તેમણે(આઇશાના પતિ) માસૂમ બાળકી પર અત્યાચર કર્યો. તે કંટાળી ગઇ. આ વ્યક્તિના મારવા પર આટલું મોટું પગલું ભરી લીધું. શરમ આવવી જોઇએ તે લોકોને જેમણે આ દીકરીની સાથે આવું કર્યું. હું અલ્લાહને પ્રાર્થના કરીશ કે અલ્લાહ તમને બર્બાદ કરે.
ઓવૈસીએ કહ્યું કે, દરેક બાપની તકલીફ તમે નહીં સમજી શકો. હું અનેક એવા બાપને ઓળખું છું જેઓ જિંદગીના અંતિમ સમયમાં મારો હાથ પકડીને કહે છે અસદ સાહેબ બાળકીના લગ્ન છે કંઇક તૈયારી કરાવી દો. મર્યા પહેલા કંઇક થઇ જાય.
તેમણે કહ્યું કે, શું થઇ રહ્યું છે તે લોકોને, કેટલી સ્ત્રીઓને તમે મારશો. કેવા તમે મર્દ છો જે તમે દીકરીઓને મારી રહ્યા છો, તેમના જીવ લઇ રહ્યા છો. શું તમારામાં માણસાઇ મરી ચૂકી છે. એવા કેટલા લોકો છે જે પોતાની બાળકીઓ પર જુલમ કરી રહ્યા છે, લાત મારે છે. દહેજ માંગે છે. ગર્ભવતિ પત્નીઓને ઢસડે છે અને બહાર નીકળીને પોતાને મોટા ફરિશ્તા સમજે છે. તમે યાદ રાખો દુનિયાને દગો આપી શકો છો અલ્લાહને નહીં. અલ્લાહ જોઇ રહ્યા છે, અલ્લાહ સમજી રહ્યા છે અને અલ્લાહ જરૂર અત્યાચાર સહન કરનારાઓને સાથ આપશે.