એક માથા ફરેલા રિક્ષાચાલકે વિધવા મહિલાને તેના જ ઘરની બહાર હાથ પકડીને કહ્યું હતુ કે, હું તારી સાથે લગ્ન કરીશ. તારાથી અને તારા પરિવારથી થાય તે કરી લો.
27 ડિસેમ્બરના રોજ વિવાદ થયો હતો
2013 માં, મહિલાના લગ્ન અંકલેશ્વરમાં થયા હતા
સામાન્ય વિવાદમાં વિધવાને પજવણી
વાત જાણે એમ છે કે, ફતેહવાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધ અવારનવાર સમીર નામના રીક્ષાવાળાની રીક્ષામાં અવરજવર કરતા હતા અને આ મામલે તેઓ ઘણીવાર સમીરને ફોન કરીને પણ બોલાવતા હતા. પણ 27મી તારીખે જ્યારે વૃદ્ધે રીક્ષા બોલાવી અને પછી કેન્સલ કરી તો સમીરનું મગજ ફરી ગયું અને તેણે વૃદ્ધ સાથે તો ઝઘડો કર્યો જ પણ તેમની દીકરીનો હાથ પકડી તેને ધમકી આપી હતી. આ મામલે વિવાદ થયો હતો, જેના આધારે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
2013 માં, મહિલાના લગ્ન અંકલેશ્વરમાં થયા હતા
.
શહેરમાં આવેલા ફતેહવાડી વિસ્તારમાં એક 30 વર્ષીય મહિલા તેના પિતા, માતા, ભાઈ અને બહેન સાથે રહે છે. 2013 માં, મહિલાના લગ્ન અંકલેશ્વરમાં થયા હતા. જો કે, વર્ષ 2017 માં તેના પતિના અવસાન પછી, તે અને તેનો 6 વર્ષનો પુત્ર અહીં અમદાવાદમાં તેના પિતાના પરિવાર સાથે જ રહે છે.
27 ડિસેમ્બરના રોજ વિવાદ થયો હતો
આરોપી રિક્ષા ચાલકનું નામ સમીર શેખ છે. સમીર ઘણીવાર વૃદ્ધ તેમજ પરિવારના બીજા સભ્યોને પણ લેવા મુકવા આવતો જતો હતો ત્યારે 27 ડિસેમ્બરની સાંજે, છોકરીની માતા સરખેજ દરગાહ પર જવાના હતા. તેથી વૃદ્ધે સમીરને બોલાવ્યો. પરંતુ તે પછી તેમણે કોઈ કારણોસર વિચાર બદલી નાંખ્યો અને સમીરને પરત ફરવા કહ્યું પણ સમીર જબરજસ્તી ઘરે આવ્યો અને મહિલાના પિતા સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો. જે પછી યુવતીના પિતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
ધમકી આપી
28મી ડિસેમ્બરના બપોરે મહિલા અને તેનો પુત્ર ઘરે હતા ત્યારે સમીર શેઠ અચાનક ઘરે ધસી આવ્યો હતો અને કહ્યુ હતુ કે તારા બાપાએ ફરિયાદ કેમ કરી? તેમણે ફરિયાદ કરીને મારૂ શું બગાડી લીધું? ત્યારે મહિલાએ સમીરને કહ્યું હતુ કે ઝઘડવાનું બંધ કરે અને રાડા રાડ ન કરે. આજ વખતે સમીરે મહિલાનો હાથ પકજી જાનથી મારી નાંખવાની ધમકી આપી એટલું જ નહીં પરંતુ કહી દીધુ કે, હું તારી સાથે જ લગ્ન કરીશ. તું અને તારો પરિવાર તમારાથી થાય એ કરી લો. આટલુ કહીને સમીર નાસી છુટ્યો હચો. વેજલપુર પોલીસે આ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવી છે જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી થે.