સમગ્ર રાજ્યમાં રાત્રિ લોકડાઉન હોવા છતાં આ કેવી રીતે શક્ય છે? અમદાવાદમાં ખોખરમાં અસામાજીક તત્વોએ 5 લોકો પર હૂમલો કર્યો અને તોડફોડ કરી ત્યારે પોલીસ સામે સવાલો ઉઠે કે, પોલીસ શું કરતી હતી? નાઈટ પેટ્રોલિંગ નહતું થઈ રહ્યુ?
ખોખરા રેલવે સ્ટેશન રસ્તા પર અસામાજિક તત્વોનો આતંક
ઈડલી સેન્ટર પર 15 જેટલા શખ્સો ધસી આવ્યા હતા
તીક્ષ્ણ હથિયારો વડે 2 મહિલા સહિત 5 લોકો પર હુમલો
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. ખોખરા રેલવે સ્ટેશન રસ્તા પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. પ્રશ્ન એ થાય કે લોકડાઉનમાં નાઈટ પેટ્રોલિંગ નહીં થતું હોય કે પછી સરકાર ખાલી ખાલી ડરાવી રહી છે. પોલીસ પ્રશાસન સાથે સાથે તંત્ર પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
ઈડલી સેન્ટર પર 15 જેટલા શખ્સો ધસી આવ્યા હતા. અને તીક્ષ્ણ હથિયારો વડે 2 મહિલા સહિત 5 લોકો પર હુમલો કર્યો હતો. મોડીરાતે થયેલા હુમલા CCTV સામે આવ્યા છે. તો હુમલાખોર અમાજિક તત્વો હાટકેશ્વરના ભાઇપુરાના હોવાનું અને છૂટાછેડા બાબતે સામે પક્ષમાં યુવકના સાગરિતોએ હુમલો કર્યો હોવાનું ઇજાગ્રસ્તના પરિવારે જાણાવ્યું છે
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક: ખોખરા રેલવે સ્ટેશન પર 15 જેટલા લોકો ધસી આવ્યા, તીક્ષ્ણ હથિયાર વડે 2 મહિલા સહિત 5 પર હિંસત હૂમલો#Ahmedabad
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 16, 2020