મેરઠ ખાતે આર્મીના જવાન રજનીશ પટણીનું આકસ્મિત નિધન થયું હતું. આજરોજ શહીદ રજનીશ પટણીનો પાર્થિવ દેહ અમદાવાદ ખાતે લવાયો છે. એરપોર્ટ પર શહીદ રજનીશ પટણીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.
શહીદ વીર રજનીશ પટણીનો પાર્થિવ દેહ એરપોર્ટ લવાયો
ગાર્ડ ઓફ ઓનર આપી શહીદને અપાઇ શ્રંદ્વાજલિ
મેરઠ ખાતે આકસ્મિત નિધન બાદ વીર શહીદ રજનીશ પટણીનો પાર્થિવ દેહ આજરોજ અમદાવાદ ખાતે લાવામાં આવ્યો છે. શહીદ રજનીશ પટણીનો પાર્થિવ દેહ તેમના નિવાસ સ્થાને લઇ જવાયો.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના સપુત રજનીશ પટણી શહીદ થયા હતા. તેઓ મેરઠની આર્મી છાવણીમાં ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન રજનીશ પટણીનું આકસ્મિક નિધન થયું હતું.
રજનીશ પટણી અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના રહેવાસી છે. તેમના આકસ્મિક મોતને પગલે શહેરના અમરાઇવાડી વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.