અમદાવાદ APMCમાં સ્વાર્થ અને રાજકારણ ચરમસીમાએ પહોંચ્યુ છે. સહકારી આગેવાનો APMCના ભોગે સ્વાર્થ સિદ્ધિ કરવા માંગતા હોવાનો ઘડાયો ઘાટ છે. અમદાવાદ APMCમાં બોર્ડ ઓફ ડિરેકટરની ચૂંટણી અટકી ગઈ છે. હાલ માર્કેટ યાર્ડમાં વહીવટદારનું શાસન છે. વ્યાજ સાથે 166 કરોડની રકમ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનને ચૂકવવાની થાય છે.
હાલ માર્કેટ યાર્ડની માથે 125 કરોડનું દેવુ છે. હાઉસિંગ કોર્પોરેશને APMCને NPA કરવાની કાર્યવાહી કરી છે. અમદાવાદ માર્કેટ યાર્ડ દ્વારા નવુ માર્કેટિંગ યાર્ડ બનાવવાનો નિર્ણય લેવાયો છે. હાલ વહીવટદારનું શાસન છે એટલે આગળની પ્રક્રિયા થઈ શકતી નથી. વહીવટદારનું શાસન લાંબુ શા માટે ચાલી રહ્યુ છે તે મોટો સવાલ છે. ખાનગી APMC બનાવવાની પ્રક્રિયાને બળ મળે એ માટે અમદાવાદ APMCની ચૂંટણી રોકાઈ રહી છે?
સળગતા સવાલ
અમદાવાદ APMCની દુર્દશા માટે કોણ જવાબદાર?
શું APMCનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે?
શું વહીવટદારોથી ચાલી રહ્યું છે APMCનું શાસન?
સહકારી આગેવાનો APMCના ભોગે સ્વાર્થ સિદ્ધ કરવા માગે છે?
ભાજપ આગેવાનોના દબાણે APMCની ચૂંટણી અટકી?
રાજય સરકાર ખેડૂતોને નામે કોને લાભ કરાવવા માંગે છે?
વહીટદારનું શાસન લાંબુ ચાલે તેમાં કોને છે રસ?