ગુજરાતમાં કોરોનાવાયરસ સંકટને પગલે ખેડૂતોની હાલત કફોડી થઈ છે. તૈયાર પાક અને શાકભાજીનો કોઈ લેવાલ નથી. કેમ કે, એપીએમસી બંધ છે અને લોકડાઉનને કારણે તૈયાર પાક પડ્યો રહ્યો છે ત્યારે કેટલાક ખેડૂતોએ તૈયાર શાકભાજી રસ્તા ઉપર ફેંકીને ચાલતી પકડી હતી. આવા સમયે જો સરકાર કંઈક મધ્યસ્થી કરીને તૈયાર શાકભાજી શહેરો સુધી પહોંચાડે તો જરૂરિયાત પણ સંતોષાય અને ખેડૂતોને પણ વળતર મળી રહે.
દેશમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, જગતના તાતની મુશ્કેલીઓ વધી
APMC સુધી નથી જવા દેવાતા, ખેડૂતો શાકભાજી ફેંકવા મજબુર
ખેડૂતો શાકભાજી ફેંકતા જોવા મળ્યા
દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં જગતના તાતની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ખેડૂતોને APMC સુધી ન જવા દેવાતા ખેડૂતો શાકભાજી ફેંકતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
સરકાર કંઈક વચલો માર્ગ કાઢે તો બચી શકાય
શહેરોમાં સહિત તમામ જગ્યાએ પરિવારનો હાલ શાકભાજીની જરૂરિયાત છે ત્યારે આ રીતે શાકભાજીની બરબાદી થાય એના કરતા જો કોઈ ઉપાય મળે અને ખેડૂતો પાસેથી સીધી શાકભાજી ખરીદી લાવે તો શાકભાજીનો બગાડ અટકાવી શકાય.
અમદાવાદના આ ગામાડમાંથી ખેડૂતો ફેંકી દીધા શાક
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા કાસીન્દ્ર, વિસલપુર, નાના છાપરા સહિતના ગામના ખેડૂતની કપરી સ્થિતિ જોવા મળી રહી છે. ખેડૂતોને પોતાના પાકના હાલ યોગ્ય ભાવ મળતા નથી. તો કેટલીક વાર ખેડૂતોને પોલીસ દ્વારા આગળ જવા દેવામાં આવતા નથી. જેને લઇને ખેડૂતો પોતાના પાકને ખેતરમાં જ ફેંકી દે છે.