અમદાવાદમાં એક મોટી દૂર્ઘટના ટળી ગયેલી જોવા મળી છે. શહેરમાં ચાલતી AMTS બસ વૈષ્ણોદેવી સર્કલ પાસે ખાડામાં ખાબકી હતી. બસ ખાડામાં ખાબકતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ દૂર્ઘટનામાં 4 લોકોને ઇજા પહોંચી છે.
અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે AMTSની બસ ખાબકી
બસ ખાડામાં પડતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
ઘટનામાં 4 લોકોને ઈજા પહોંચી
અમદાવાદ શહેરમાં આજે મોટી દૂર્ઘટના ઘટતા ટળી ગઇ છે. જેમાં શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસે અચાનક AMTS બસની બ્રેક ફેઇલ જતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ એક ખાડામાં ખાબકી હતી.
AMTSની બસ ખાડામાં ખાબકતા મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. આ દૂર્ઘટનામાં 4 લોકોને ઇજા પહોંચી હતી. જો કે ત્યાં રહેલા પોલીસકર્મીઓ દ્વારા મુસાફરોના જીવ બચાવ્યાં હતા.
Update : AMTS બસ ડ્રાઈવરે કહ્યું અચાનક બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. આ ઘટનામાં 4 ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર્થે લઈ જવાયા છે. https://t.co/WLKCbSl6Rl
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 27, 2020