અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં 20 ટકા AMC ક્વોટા લાગૂ કરાયો છે. કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં 20 ટકા AMC ક્વોટાના બેડ રિઝર્વ રહેશે. જેને 108 એમ્બ્યુલન્સથી 20 ટકા બેડ ભરવામાં આવશે. તમામ કોવિડ હોસ્પિટલો માટે AMCએ પરિપત્ર જાહેર કર્યો છે.
અમદાવાદમાં 900 બેડની વ્યવસ્થા સાથે કોવિડ કેર સેન્ટર ઉભું થશે
આ સાથે અમદાવાદના યુનિવર્સિટી કન્વેન્શન હોલ પાસે કોવિડ કેર શરૂ થશે. 900 બેડની વ્યવસ્થા સાથે કોવિડ કેર ઉભું કરાશે. કન્વેન્શન હોલ ખાતે કોવિડ કેર માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. કન્વેન્શન હોલમાં બેડ મૂકીને તૈયારી શરૂ કરી દીધી છે. 900 બેડનું કોવિડ કેર ઉભુ કરવાની CM રૂપાણીએ જાહેરાત કરી હતી. CMના આદેશ બાદ તંત્ર દોડતું થયું છે.
વડોદરામાં પણ 3 હજાર બેડની હોસ્પિટલ ઉભી કરાશે
વડોદરામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ વધતા સંક્રમણને લઇને તંત્ર દ્વારા યુદ્ધના સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે. માત્ર ત્રણ દિવસમાં 3 હજાર બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. યજ્ઞપુરુષ કોવિડ કેરમાં હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જેમાં ICU, ઓક્સિજન સહિતની સુવિધા સાથે હોસ્પિટલ તૈયાર થઇ ગઇ છે. હોસ્પિટલમાં દર્દીઓ માટે તમામ પ્રાથમિક સુવિધા છે. જેમાં આજે સાંજથી દર્દીઓને સારવાર માટે લાવવામાં આવશે. જ્યારે BAPS સ્વામીનારાયણ મંદિર અટલાદારા દ્વારા ભોજન અપાશે.