અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા શહેરમાં વિનામુલ્યે WIFI સેવા શરૂ કરવામાં આવશે.શહેરમાં 145 BRTS સ્ટેશન પર WIFI સેવા શરૂ કરવામાં આવશે.જનમિત્ર કાર્ડ ધારકોને 2 MBPSની સ્પીડની સુવિધા મળશે.જ્યારે અન્ય લોકોને 1 MBPSની સ્પીડથી વાઈફાઈની સુવિધા મળશે.સવારે 6 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી વિના મુલ્યે વાઈફાઈની સુવિધા મળશે.
ઉલ્લેખનીય છે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચાર વર્ષ પહેલાં કાંકરિયા તળાવ સહિત અન્ય કેટલાક સ્થળોએ ફ્રી વાઇ-ફાઇ સેવા શરૂ કરવામાં આવી હતી જે પૈકી કાંકરિયા તળાવ ફરતે કેટલાક WIFI ટાવર લગાવવામાં આવ્યા હતા.હવે અમદાવાદ મ્યુનિ. સોમવારથી સ્માર્ટ સીટી યોજના અંતર્ગત શહેરના ૧૪૫ બીઆરટીએસ બસ સ્ટેન્ડ ઉપર જનમિત્ર ફ્રી વાઇ-ફાઇ સેવાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.જે કેટલા અંશે સફળ થાય છે તે જોવો જ રહ્યો.
આપને જણાવી દઇએ કે જનમિત્ર ફ્રી વાઇ-ફાઇ સેવાનો લાભ લેવા માટે ઓટીપી નંબર જનરેટ કરવો પડશે જે ઓપીટી નંબરથી મોબાઇલ કે લેપટોપમાં ફ્રી વાઇફાઇનો ઉપયોગ કરી શકાશે. એકવાર ઓટીપી નાંખ્યા બાદ એક અઠવાડિયા સુધી તેનો ઉપયોગ કરી શકાશે.