અમદાવાદમાં AMCના અધિકારીઓ દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના પકવાન ચાર રસ્તા પાસે સિંધુ ભવન રોડ પર AMCના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી.
SG હાઇવેના પકવાન ચાર રસ્તા પાસે 6 માળનુ ગેરકાયદેસર બિલ્ડીંગ બનાવવામાં આવ્યુ હતુ. ત્યારે હવે આખી બિલ્ડીંગ બની ગયા બાદ AMCએ કાર્યવાહી હાથ ધરી છે.
પકવાન ચાર રસ્તા પાસે બનાવેલી આ બિલ્ડીંગમાં રાજકીય નેતાઓની ભાગીદારી હોવાનુ પણ સામે આવ્યુ છે. રાજકીટ દબાણ હોવા છતા AMCના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત AMCના અધિકારીઓએ આ પહેલાં પણ વિવિધ સ્થળોએ ડિમોલેશનની કાર્યવાહી કરી હતી. ગેરકાયદેસર રીતે બનાવેલ બિલ્ડીંગો દુકાનો અને મકાનો શહેરમાં અલગ-અલગ સ્થળોએ છે જેને લઈને AMCના અધિકારીઓ કામ કરી રહ્યા છે.