અમદાવાદ એરપોર્ટ દાણચોરીનું હોટ ફેવરિટ હબ બની ગયું છે અને આવનારા દિવસોમાં દાણચોરી માટેનો ગઢ પણ બની શકે છે. કારણ કે, છેલ્લા 5 વર્ષમાં 1300 કરોડથી પણ વધુનું સોનું એરપોર્ટ પરથી ગુજરાતમાં ઘુસ્યું છે. છતાં તંત્રને ભનક ન લાગી અને લાગી ત્યારે ખુદના જ સ્ટાફની સંડોવણી સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ આતંરરાષ્ટ્રીય એરપોર્ટ સોનાની દાણચોરી માટે હોટ ફેવરેટ છે. છેલ્લા પાંચ વર્ષમા 1300 કરોડની દાણચોરી થઈ હોવાનુ કસ્ટમની તપાસમા ખુલાસો થયો. સોનાની દાણચોરીને લઈને કસ્ટમ સર્ચ કરી રહયા હતા ત્યારે 3 જૂને ફલાઈટમાંથી ઉતરેલા લોકેશ શર્મા નામના પ્રવાસીની બેગ એરપોર્ટ બહાર બેગેજ હેન્ડલર જિજ્ઞેશ સાવલીયા લઈ જઈ રહયો હતો ત્યારે ઝડપી લીધો.
આ મામલે તપાસ બાદ કસ્ટમ વિભાગે જિજ્ઞેશ સાવલિયા, લોકેશ શર્મા અને જવેલર્સની દુકાન ધરાવતા વિનેશ ઉર્ફે વિજય રાવલને ઝડપી પુછપરછ કરતા ગોલ્ડની તસ્કરીનુ રેકેટ હોવાનો ઘટસ્ફોર્ટ થયો હતો. વર્ષ 2014થી 2018 સુધી 1300 કરોડની કિમંતનુ 4 હજાર કિલો સોનુ દાણચોરી મારફતે એરપોર્ટથી બહાર કઢાયું હતુ..
સોનાની દાણચોરીની તપાસમા કસ્ટમ વિભાગની તપાસમાં સેટેલાઈટની દિવ્યા ભુદિયા નામની મહિલાનું નામ ખુલ્યું હતું. આ મહિલાએ દુબઈથી 73 વખત ટ્રીપ મારીને 420 કરોડની કિમતનું 1285 કિલો સોનું એરપોર્ટ પર લાવી હતી.
સમગ્ર પ્રકરણમાં રૂતુગા ત્રિવેદી તેમની પત્ની હિના ત્રિવેદી, નીતિ પરમારસ જીતેન્દ્ર રોકડ અને મેહુલ ભીમાણીની સંડોવણી ખુલી છે. જેમા 2 કરોડ રૂપિયા રૂતુગા ત્રિવેદીને મળ્યા હતા. રૂતુગાની માણેકચોકમા અખંડ જયોત જવેલર્સની દુકાન ધરાવે છે. તેમણે દુબઈથી લોકેશ શર્માને સોનાનો જથ્થો આપતા હતા. આ જથ્થો અમદાવાદથી ધીરેધીરે બહાર કાઢવામા આવતો હોવાનુ પણ ખુલ્યુ છે.
આપને જણાવી દઇએ કે, સોનાના દાણચોરી સૌથી વધુ મીનાલીસ્ટ કન્ટ્રી જેવી કે દુબઈ સારજાથી થતુ હોવાના ખુલાસા સામે આવ્યા છે. અગાઉ પણ ઈરાનથી એક દપંતી અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીમા ઝડપાયા હતા. તે પણ દુબઈથી સોનુ લાવ્યા હતા. જેથી અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરી માટે હોટ ફેવરેટ છે.