વારાણસી-અમદાવાદ ફ્લાઈટમાં 77 જેટલા પેસેન્જરના જીવ તાળવે ચોંટ્યા હતા કેમ કે, વારાણસીથી ઉડતી વખતે પ્લેનનું ટાયર ફાટી ગયુ હતુ અને તેને કારણે ઉતરણમાં મુશ્કેલીઓ સર્જાઈ હતી. પરંતુ હેમખેમ અમદાવાદ એરપોર્ટ ઉપર ઉત્તરણ થતા એરપોર્ટ સ્ટાફ અને પ્લેનમાં સવાર મુસાફરો તથા પાયલોટને હાશકારો થયો હતો.
વારાણસીથી ટેક ઓફ કરતા જ ટાયર ફાટી ગયુ હતુ
77 પેસેન્જર સવાર હતા
વારણસી-અમદાવાદ ફ્લાઈટમાં દુર્ઘટના ટળી
સોમવારે વારણસી- અમદાવાદ ફલાઈટનું ટાયર ફાટી જતા તેને અમદાવાદ ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યુ પડ્યુ હતુ જેને પગલે બીજી 4 ફલાઈટ 20થી 30 મિનિટ જેટલી ડિલે થઈ હતી.
કઈ ફલાઈટ હતી
ફ્લાઈટ SG- 972 એ ઈકોનોમીક રેટમાં હવાઈમુસાફરી કરવા વપરાય છે. આ અંગે કંપનીનું કહેવુ છે કે, સ્પાઈસ જેટ બોઈંગ B737 એરક્રાફ્ટ SG-972 વારાણસી-અમદાવાદની ફલાઈટ ઓપરેટર કરે છે.
વારણસીથી પ્લેન ટેક-ઓફ થયુ ત્યારે જ ટાયર ફાટ્યુ હતુ
જ્યારે પ્લેન વારાણસીથી ટેક ઓફ થયુ ત્યારે જ રનવે ઉપર ટાયરનો કટકો પડ્યો હોવા અંગે પાયલોટને જાણ કરવામાં આવી હતી. પરંતુ આ કારણે ફ્લાઈટના ઉડ્ડયનમાં કોઈ તકલીફ પડી ન હતી જેને પરિણામે ફ્લાઈટને પોતાના નિયત લક્ષ્ય એટલે કે અમદાવાદ સુધી લવાઈ હતી પરંતુ અહીં લેન્ડિંગ જ સૌથી મહત્વનું હતુ જો લેન્ડિંગ પ્રોપર ન થાત તો ફ્લાઈટ ક્લેશ થવાની સંભાવના હતી.
કઈ કઈ ફ્લાઈટ મોડી પડી
વારાણસી-અમદાવાદના ઈમરજન્સી લેન્ડિંગને કારણે , અમદાવાદ-કોચી, અમદાવાદ-નાસિક, અમદાવાદ-દિલ્હી અને અમદાવાદ- હુબલી ફલાઈટ નિર્ધારિક સમય કરતા 20થી 30 મિનિટ મોડી પડી.