અમદાવાદ શહેરના જાણીતા કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે સંકળાયેલા અગ્રવાલ ગ્રુપને લઈને મહત્વના સમાચાર આવ્યાં છે. જેમાં કંપનીના MD સંજય અગ્રવાલ પિતા ચીમનલાલ અગ્રવાલ સાથે છેડો ફાડ્યો છે. આ અંગેની જાહેરાત પણ છાપામાં આપી છે. સંજય અંગ્રવાલે પિતા સાથે કોઈ પણ પ્રકારના નાણાકીય વ્યવહાર કે આર્થિક બાબતોની જવાબદારીથી દૂરી બનાવી લીધી છે.
કોણ છે સંજય અગ્રવાલ અને ચીમનલાલ અગ્રવાલ?
શું આપી છે જાહેરાત
અમદાવાદમાં જાણીતા છે બંને બાપ-દીકરો
અગ્રવાલ ગ્રુપ એ જાણીતું બિલ્ડર ગ્રુપ છે ત્યારે આ ગ્રુપના ચેરમેન એને તેમના પુત્ર વચ્ચે હવે કોઈપણ પ્રકારના આર્થિક વ્યવહાર રહ્યાં નથી. અગ્રવાલ ગ્રુપના ચેરમેન ચીમનલાલ અગ્રવાલ અને MD સંજય અગ્રવાલ છુટા પડી ગયા છે. કયા કારણોસર આ પિતા-પુત્ર અલગ થયા તે તો સ્પષ્ટ રીતે જાણી શકાયુ નથી પરંતુ આ અંગેની પેપરમાં આપવામાં આવેલી જાહેરાતને પગલે હાલ આ અંગેની માહિતી મળી રહી છે.
કોણ છે સંજય અગ્રવાલ અને ચીમનલાલ અગ્રવાલ?
સંજય અગ્રવાલ અને ચીમન અગ્રવાલ પિતા-પુત્ર છે જે લાંબા સમયથી કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે સંકળાયેલા છે. મહત્વનું છે ચીમનલાલ અગ્રવાલ પોતે અગ્રવાલ ગ્રુપના ફાઉન્ડર છે.
શું આપી છે જાહેરાત
"આથી હું સંજયકુમાર અગ્રવાલ તે ચીમનલાલ જયગોપાલ અગ્રવાલના પુત્ર જાહેર જનતાને જણાવું છું કે તા. 1-10-2019થી હું મારી મરજીથી શ્રી ચીમનલાલ જયગોપાલભાઈ અગ્રવાલથી સ્વતંત્ર થઈ ગયો છું. જેથી મારી સાથે કોઈપણ વ્યક્તિ, પેઢી, સંસ્થા કોઈપણ પ્રકારનો વ્યવહાર કરશે જેમાં શ્રી ચીમનલાલ જયગોપાલભાઈ અગ્રવાલની કોઈ જવાબદારી રહેશે નહીં તેવી જાહેર જનતાએ નોંધ લેવી."